Webdunia - Bharat's app for daily news and videos

Install App

જન્માષ્ટમી સ્પેશિયલ મીઠાઈ- રંગબેરંગી નારિયેળના રોલ્સ

Webdunia
ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2026 (14:09 IST)

સામગ્રી

ડેસિકેટેડ કોકોનટ (સૂકા નારિયેળનો છીણ): 2 વાટકી
મિલ્ક પાવડર: 1 વાટકી
કન્ડેન્સ્ડ મિલ્ક: 3/4 વાટકી અથવા જરૂર મુજબ
એલચી પાવડર: 1/2 ચમચી
સાજુક ઘી: 1 ચમચી
ફૂડ કલર: લીલો, ગુલાબી/લાલ અને પીળો (દરેક 2-3 ટીપાં)
ચાંદીનો વરખ અથવા સમારેલા પિસ્તા: સજાવટ માટે
ALSO READ: શીતળા સાતમ સ્પેશિયલ પારંપરિક વાનગી- કુલેર બનાવવાની રીત

બનાવવાની રીત

 
1. બેઝ મિશ્રણ તૈયાર કરો:
એક મોટા વાસણમાં સૂકા નારિયેળનું છીણ, મિલ્ક પાવડર, એલચી પાવડર અને ઘી નાખીને સારી રીતે મિક્સ કરો.
ALSO READ: જન્માષ્ટમી પર ઘરે બનાવો મથુરા પેડા, તેનો સ્વાદ એવો છે કે તમે તેને અસલી કરતા ઓછો નહીં માનો.
2. મિશ્રણનો ગોળો બનાવો:
હવે તેમાં થોડું-થોડું કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરતા જાઓ અને હાથથી સારી રીતે મસળીને નરમ ગોળો બનાવી લો. ધ્યાન રાખો કે મિશ્રણ વધારે સૂકું કે વધારે ચીકણું ન હોવું જોઈએ.
 
3. રંગ મિક્સ કરો:
તૈયાર કરેલા ગોળાને 3 અથવા 4 સરખા ભાગમાં વહેંચો. એક ભાગમાં ગુલાબી, બીજા ભાગમાં લીલો અને ત્રીજા ભાગમાં પીળો ફૂડ કલર ઉમેરીને અલગ-અલગ રંગના ગોળા તૈયાર કરો. ઈચ્છો તો એક ભાગ સફેદ પણ રાખી શકો છો.
 
4. રંગબેરંગી લેયર તૈયાર કરો:
પ્લાસ્ટિક શીટ અથવા બટર પેપર પર થોડું ઘી લગાવો. સૌપ્રથમ એક રંગનો ગોળો વણીને પાતળો કરો. તેના પર બીજા રંગનો ગોળો વણીને મૂકો અને છેલ્લે ત્રીજા રંગનો થર બનાવો.
 
5. રોલ તૈયાર કરો:
હવે બટર પેપરની મદદથી ત્રણેય થરને કાળજીપૂર્વક અને ચુસ્ત રીતે વાળીને ગોળ રોલ બનાવી લો.
 
6. સેટ કરવા મૂકો:
તૈયાર રોલને બટર પેપરમાં લપેટીને લગભગ 30 મિનિટ માટે ફ્રિજમાં સેટ થવા મૂકી દો.
 
7. વડી કાપો:
રોલ બરાબર સેટ થઈ જાય પછી તેને ફ્રિજમાંથી બહાર કાઢો. તેના પર ચાંદીનો વરખ લગાવો અને ધારદાર છરીથી ગોળ વડીના આકારમાં કાપી લો. ઉપરથી સમારેલા પિસ્તાથી પણ સજાવી શકો છો.
 
જન્માષ્ટમી સ્પેશિયલ રંગબેરંગી નારિયેળની વડી તૈયાર છે. ભગવાન શ્રીકૃષ્ણને ભોગ ધરાવવા માટે આ સરળ અને સ્વાદિષ્ટ મીઠાઈ બનાવી શકાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

માતા વૈષ્ણોદેવીની હેલિકોપ્ટર યાત્રા વધુ મોંઘી થશે; એકતરફી અને પરત ફરતી યાત્રાઓ માટેના નવા ભાડા વિશે જાણો.

ડ્રગ્સના દુરુપયોગ સામે "મિશન 2029": અમિત શાહે સંપૂર્ણ રોડમેપ જાહેર કર્યો, ડ્રગ નેટવર્કને મૂળમાંથી નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી

દિલ્હીના સત્ય નિકેતનમાં ચાર માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા

JNUના પ્રોફેસર પર વિદ્યાર્થીનીઓ સાથે જાતીય સતામણીનો આરોપ; 10 વિદ્યાર્થીઓએ ICCમાં ફરિયાદ નોંધાવી

પનવેલમાં દહીં હાંડી કાર્યક્રમ દરમિયાન અકસ્માત, વીજળીનો કરંટ લાગતા 5 લોકો ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -6 સપ્ટેમ્બર, 2026

Ganeshotsav 2026: ક્યારથી શરૂ થશે ગણેશ ઉત્સવ ? જાણો ગણપતિની સ્થાપનીની તારીખ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠ અર્થ સાથે - Ganapati Atharvashirsha With Meaning in Gujarati

Happy Teachers Day Wishes In Gujarati - શિક્ષક દિવસની શુભેચ્છા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

આગળનો લેખ
Show comments