Webdunia - Bharat's app for daily news and videos

Install App

સત્ય ઉવાચઃ જે 96 વિદ્યાર્થીઓ ચોરી કર્યાનું કબૂલ્યા તો તેમને પુરક પરિક્ષા આપવા દેવાશે

Webdunia
શુક્રવાર, 25 મે 2018 (13:18 IST)
પંચમહાલના કવાલી અને વલસાડના મોટા પોંડામાંથી ચોરી કરતાં 230 વિદ્યાર્થીઓને GSHEB દ્વારા ગુરુવારે પૂછપરછ માટે બોલાવાયા હતા. જેમાંથી 96 વિદ્યાર્થીઓ જે કવાલી કેંદ્રના હતા તેમણે ‘માય બેસ્ટ ફ્રેંડ’નો નિબંધ લખ્યો હતો. બધાએ સરખો જ નિબંધ લખ્યો જેમાં તેમનો બેસ્ટ ફ્રેંડ ટેનિસ પ્લેયર વિકાસ છે. જે વિદ્યાર્થીઓએ કબૂલ્યું કે તેમણે પરીક્ષા દરમિયાન ચોરી કરી હતી તેમને માત્ર એક જ વિષયમાં નપાસ કરવામાં આવશે. જ્યારે જે વિદ્યાર્થીઓએ ચોરી કર્યાનું ન સ્વીકાર્યું તેમને કડક સજા અપાઈ. બોર્ડની સ્પેશિયલ ડ્યૂટીના ઓફિસર એમ.એમ પઠાણે કહ્યું કે, “જે વિદ્યાર્થીઓએ ચોરી કરી હોવાની કબૂલાત કરી તેમને એક જ વિષયમાં નપાસ કરાશે એટલે તેઓ જુલાઈમાં યોજાનારી પૂરક પરીક્ષા આપી શકશે. જે વિદ્યાર્થીઓએ ચોરી ન કરી હોવાનું કહ્યું તેમને બધા જ વિષયોમાં નપાસ કરાશે અને માર્ચ 2019માં બોર્ડની પરીક્ષા ફરી આપવી પડશે.”ચોરી કરતાં પકડાયેલા 230 વિદ્યાર્થીઓમાંથી 72એ ચોરી કર્યાનું સ્વીકાર્યું, જ્યારે 158 વિદ્યાર્થીઓએ ચોરી ન કર્યાનો રાગ આલાપ્યો. બોર્ડના સભ્યોએ જણાવ્યું કે, “કવાલી સેંટરના CCTV સાથે ચેડાં કરાયા છે. સુનાવણી માટે હાજર રહેલા શિક્ષકોએ કહ્યું કે તેમણે વિદ્યાર્થીઓને નિબંધ નથી લખાવ્યો. પરીક્ષા દરમિયાન શાળામાં વારેવારે લાઈટ જતી રહેતી હતી તેના કારણે CCTV ફૂટેજમાં કશું દેખાતું નથી.” બોર્ડના અધિકારીએ કહ્યું કે, જે પરીક્ષા કેંદ્રોમાં સામૂહિક ચોરી થાય છે તેને રદ કરાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments