Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં બે દિવસમાં ૩૧૩ વ્યક્તિ 'હીટવેવ'નો શિકાર બન્યા

Webdunia
શુક્રવાર, 25 મે 2018 (13:11 IST)
ઉનાળાએ રોદ્ર સ્વરૃપ દેખાડતાં ગરમીને લગતી બિમારીના કેસમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. અમદાવાદમાં આજે ૧૩૯ વ્યક્તિ ગરમીને લગતી બિમારીના શિકાર બન્યા હતા. કાળઝાળ ગરમીમાં પેટમાં દુઃખાવો, બ્લડપ્રેશર, ચક્કર આવવાની ફરિયાદ સૌથી વધુ નોંધાઇ રહી છે. અમદાવાદમાં બુધવારે ૧૭૪ વ્યક્તિ ગરમીને લગતી બિમારીનો ભોગ બન્યા હતા.

આમ, છેલ્લા બે દિવસમાં ૩૧૩ વ્યક્તિ ગરમીને લગતી બિમારીના શિકાર બની ચૂક્યા છે. ઇમરજન્સી સેવા '૧૦૮' પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત, વડોદરા એમ ચાર મહાનગરમાં ગરમીને લગતી બિમારીના બુધવારે ૭૫૩ અને ગુરુવારે ૪૮૮ કેસ નોંધાયા હતા. આમ, બે દિવસમાં ૧૨૪૮ લોકો ગરમીને લગતી બિમારીના શિકાર બની ચૂક્યા છે. તબીબોના મતે ઉનાળામાં હીટસ્ટ્રોકથી બચવા માટે પાણી, નાળિયેર પાણી, છાસ પીતા રહેવું જોઇએ. લીંબુ પાણી અને શેરડીનો રસ ચોખ્ખી જગ્યાએથી પીવામાં આવે તે પણ જરૃરી છે. બહારનો ખોરાક ખાવામાં આવે તો પેટમાં દુઃખાવો, વોમીટની સમસ્યા સર્જાઇ શકે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

ચાઈનીઝ દહીં ઈડલી ચાટ રેસીપી

Child story - ચાર મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments