Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભા ચૂંટણી 2019- બોલો ભણેલો બેકાર અને અભણ રાજકારણી, ભાજપ-કોંગ્રેસના 10 ઉમેદવારો ધોરણ 12થી ય ઓછું ભણેલા

Webdunia
બુધવાર, 22 મે 2019 (20:40 IST)
ચૂંટણી લડવા માટે શિક્ષિત હોવુ જરુરી નથી. આ વખતે લોકસભાની ચૂંટણીમાં 10 ઉમેદવારો એવા છેકે, જેઓ 12 ધોરણ કરતાં ય ઓછુ ભણેલા છે. જયારે 25 ઉમેદવારોએ તો અંડરગ્રેજ્યુએટ છે. પાંચ ઉમેદવારો ડૉક્ટર, બે વકીલ ,ચાર એન્જિનિયર , બે બી.એડ,સાત કોમર્સ ગ્રેજ્યુએટ,એક ડિપ્લોમા એગ્રીકલ્ચર લોકસભાની ચૂંટણીમાં ભાજપના 14 ઉમેદવારો જયારે કોંગ્રેસના 11 ઉમેદવારોએ ગ્રેજ્યુએશન પણ પૂર્ણ કર્યુ નથી.માત્ર ત્રણ ઉમેદવારો એવા છે જેમની પાસે એમબીબીએસની ડીગ્રી ધરાવે છે જેમાં સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર ડૉ. મહેન્દ્ર મુજપરા , બારડોલીના કોંગ્રેસના ઉમેદવાર ડૉ.તુષાર ચૌધરી ,અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર ડૉ.કિરિટ સોલંકીનો સમાવેશ થાય છે. ભારતીબેન શિયાળ પણ બીએમએમની ડીગ્રી ધરાવે છે. આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી ક્વોલિફાઇડ એન્જિનિયર છે. આ ઉપરાંત ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને પ્રભુ વસાવા પણ વ્યવસાયે ઇજનેર છે. પંચમહાલના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ અને દાહોદના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે બી.એડ સુધી અભ્યાસ કર્યો છે. મંત્રી પરબત પટેલ અને પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ એલએલબી સુધી અભ્યાસ કર્યો છે. ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ ડિપ્લોમા એગ્રીકલ્ચરની ડીગ્રી ધરાવે છે. ભાજપના બે અને કોંગ્રેસના પાંચ ઉમેદવારો કોમર્સ ગ્રેજ્યુએટ થયેલાં છે. આમ,ભાજપ-કોંગ્રેસના અડધોઅડધ ઉમેદવારો અંડરગ્રેજ્યુએટ છે. નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર.પાટિલ 10મી ચોપડી પાસ છે જયારે રાજકોટમાં ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા 8મુ પાસ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં કોંગસના ઉમેદવાર પાંચમી ચોપડી પાસ છે. આ ત્રણેય ઉમેદવારો સાંસદ રહી ચૂક્યા છે. ટૂંકમાં ઓછુ ભણેલા દાવેદારો રાજકીય પક્ષોની પસંદ બન્યાં છે. ભાજપ-કોંગ્રેસે 10-12મી ચોપડી પાસને ટિકિટ આપીને સાંસદ બનાવવા ચૂંટણી મેદાને ઉતાર્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments