Webdunia - Bharat's app for daily news and videos

Install App

અરવલ્લી જિલ્લામાં ૪૦ દિવસમાં ૧૧થી વધુ લાશો મળી

Webdunia
સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (12:37 IST)
અરવલ્લી જિલ્લામાં આત્મહત્યાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ૫મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જુદી જુદી જગ્યાએથી આઠ લટકતી લાશો મળી છે. જ્યારે બે કિસ્સામાં તળાવમાંથી લાશ મળી છે જેમાં મોટા ભાગે યુવાન વયના જ વ્યક્તિઓ છે. ત્યારે ખૂબ જ ચિંતનનો વિષય થયો છે કે ભર યુવાનીમાં આવા નિર્ણયો લેવા પાછળ કયાં કારણો કામ કરે છે. જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાઓનું પ્રમાણ વધતાં બનાવોને લઈને લોકમાનસ પર ચિંતાના વાદળો ઘેરાયા છે. અરવલ્લી જિલ્લામાં આત્મહત્યાની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગત શુક્રવારના રોજ બાયડના ભૂખેલ પાસેની વાત્રક નદીમાંથી એક યુવતીનો મૃતદેહ મળ્યો હતો. નદીમાં મૃતદેહ હોવાનું માલુમ પડતાં ગ્રામજનોએ યુવતીના મૃતદેહ બાબતે બાયડ પોલીસને જાણ કરી હતી આ ઘટનાના થોડાક કલાકોના ટૂંકા ગાળામાં મોડાસા-શામળાજી હાઈવે પર મોટી ઈસરોલ ગામ નજીક બ્રિજ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવકની લાશને પીએમ માટે દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી યુવકની લાશ મળી આવતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા યુવકની હત્યા કરી લાશને ફેંકી દીધું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments