Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારે નવી ઉદ્યોગ નીતિ જાહેર કરી, જાણો શું છે આ નીતિમાં

Webdunia
શુક્રવાર, 7 ઑગસ્ટ 2020 (15:46 IST)
ગુજરાતની રૂપાણી સરકારે સફળ શાસનનાં પાંચમા વર્ષમાં પ્રવેશ કરતાં નવી ઉદ્યોગ નીતિ જાહેર કરી છે. નવી ઉદ્યોગ નીતિની જાહેર કરતી વખતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતનું વડાપ્રધાનનું સપનું સાકાર કરવા નવી ઉદ્યોગ પોલિસી પણ મદદરૂપ થશે.સરકારની સિદ્ધિઓ ગણાવી હતી અને એ પણ જણાવ્યું હતું કે કોરોના કાબૂમાં આવ્યા પછી વાઈબ્રન્ટ સમીટ અંગે નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું છેકે, ચીનમાંથી બહાર નીકળતી વિદેશી કંપનીઓને ગુજરાતમાં આકર્ષવા માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં જાપાનની 4, અમેરિકાની 3, જર્મની અને ઇંગ્લેન્ડ સાથે 1-1 બેઠક મળી છે. નવી પોલિસીમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય ઉત્પાદનના વલણો તેમજ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગો દ્વારા સૂચવવામાં આવેલા મોટાભાગના સૂચનોના સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારથી GST લાગૂ કરવામાં આવ્યો ત્યારથી નેટ SGST પ્રમાણે વળતર આપવામાં આવતું હતું, હવે નવી ઉદ્યોગ પોલિસીમાં SGSTના વળતરોને ડિ-લિંક એટલે કે દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. હવે મોટા ઉદ્યોગોને ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે કેપિટલ સબસીડી તરીકે ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ(FCI)ના 12 ટકાના ધોરણે રોકડ રકમ અપાશે. વૈશ્વિક રોકાણોના વલણો, ઇન્ટિગ્રેટેડ વેલ્યુ ચેઇન્સને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત, એક્સપોર્ટ્સ, ભારત સરકારની પોલિસીઓ, નીતિ આયોગ વગેરેને ધ્યાનમાં રાખીને 15 થ્રસ્ટ સેક્ટર્સની પરિકલ્પના કરવામાં આવી છે. આ થ્રસ્ટ સેક્ટર્સને કોર સેક્ટર્સ અને સનરાઇઝ સેક્ટર્સમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યાના નિકાલ માટે સરકારની પહેલ, ફોન કરીને લોકો માહિતી આપી શકશે

મણિપુરમાં ફરી સ્થિતિ બગડી! સરકારે સવારે ઘણા જિલ્લાઓમાં કર્ફ્યુ લગાવ્યો, હવે 5 દિવસ માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ

અમદાવાદ- મુંબઈ બુલેટ ટ્રેનમાં મુસાફરોને નહીં સંભળાય ઘોંઘાટ, 1.75 લાખ નોઈઝ બેરિયર્સ લગાવાયા

રાજકોટના જે કે ચોકમાં ગણપતિ બાપ્પાને 60 લાખનો સોનાનો હાર અને ડાયમંડનો શણગાર કરાયો

આગળનો લેખ
Show comments