Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિજય રુપાણીએ સાબરમતિ નદીમાં સફાઈ અભિયાન હાથ ધર્યુ

Webdunia
બુધવાર, 5 જૂન 2019 (14:27 IST)
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં 10 હજારથી વધારે લોકોએ સાબરમતીની સફાઇ આરંભી હતી. સવારે 8 વાગે ગાંધીઆશ્રમ પાછળ નદીમાં ઉતરીને રૂપાણીએ સાબરમતીને સ્વચ્છ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સાબરમતીને સાફ કરીને ઇતિહાસ રચીશું. વિજય રૂપાણીએ સાબરમતી સફાઈ અભિયાન દરમિયાન વિશ્વ પર્યાવરણ દિવસની તેમણે શુભકામના પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે સાબરમતીમાં ગટરનું ટ્રીટમેન્ટ થયેલું પાણી અપાશે. વિશ્વભરમાં પર્યાવરણને લઈને ચિંતા છે. વિજય રૂપાણીએ સાબરમતી નદીમાં પત્ની અંજલિબેન રૂપાણી સાથે સફાઈ કરી. ગૃહમંત્રી, મેયર બીજલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા હાજર રહ્યા હતા. સાંસદ ડો. કિરિટ સોલંકી પણ સફાઈમાં જોડાયા હતા.સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં પશ્ચિમ બાજુ ટોરેન્ટ પાવરથી વાસણા બેરેજ તથા પૂર્વમાં ડફનાળાથી વાસણા બેરેજ સુધીના બંને તરફના વિસ્તારની લોકભાગીદારીથી સફાઇ કરાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

આગળનો લેખ
Show comments