Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાંગમાં શબરી ધામ પાસે રહસ્યમય ધડાકો થતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

Webdunia
બુધવાર, 5 જૂન 2019 (14:24 IST)
ડાંગના શબરી ધામ નજીક પંપા સરોવર પાસે આજે રહસ્યમયી ધડાકો થયો હતો. ધડાકો થતા જ લોકો ગભરાઈ ગયા હતા, અને લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. એટલુ જ નહિ, આ ધડાકા બાદ ડાંગમાં ભૂસ્તરીય હલચલ પણ થઈ હતી, જેને કારણે લોકો વધુ ડરી ગયા હતા. આ ધડાકામાં જમીનમાં ખૂંપેલા પત્થરો પણ ઉડ્યા હતા. ડાંગમાં આજે સવારે સુબિર તાલુકના શબરી ધામ પાસે જોરદાર ધડાકો થયો હતો. શબરી ધામમાં પ્રવાસન વિભાગે બનાવેલ પંપા સરોવર પાસે આ ધડાકો થયો હતો. જેથી મંદિર નજીક ધડાકા થવાની સાથે જ જમીનમાંથી પથ્થરો ઉડ્યા હતા. ત્યારે સ્થાનિક લોકો સુબિર વિસ્તારમાં ભૂગર્ભીય હિલચાલ થયાની શક્યતા અનુભવી રહ્યાં છે. તો બીજી તરફ, પથ્થરો ઉડવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે. પહેલા તો લોકોને ભૂકંપનો જ ડર લાગ્યો હતો. આ કારણે નાસભાગ મચી હતી, તો કેટલાક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘટના સ્થળે ભૂગર્ભમાં અવાજ સંભળતો હોવાની પણ સ્થાનિક લોકોમાં ચર્ચા થઈ હતી. આ રહસ્યમયી ધડાકા અંગે ડાંગ અધિક કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. જોકે આ ધડાકો કયા કારણોસર થયો હતો કે, હકીકતમાં કોઈ ભૂર્ગભીય હલચલ છે, તે હજી સામે આવ્યું નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments