Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેવડીયામાં સરદાર સરોવર ડેમની જળસપાટી વધતાં રાજ્યને વધુ પાણી પુરવઠો મળ્યો

Webdunia
શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (12:05 IST)
નર્મદા ડેમના ઉપરવાસમાં  સારો વરસાદ થતાં ડેમનું જળસ્તર સતત વધી રહ્યું છે. ઉપરવાસમાંથી 17927 ક્યુસેક પાણીની આવકના કારણે છેલ્લાં 24 કલાકમાં ડેમની સપાટીમાં   જળસપાટી 122.34 મીટરે પહોંચી હતી. નર્મદા ડેમને દરવાજો લાગતાં પહેલાં ડેમ 121.92 મીટરે ઓવરફ્લો થઇ જતો હતો. જો દરવાજા લાગ્યાં ન હતો તો હાલમાં ડેમ 42 સેમીથી ઓવર ફ્લો થતો નિહાળી શકાયો હોત. હાલ નર્મદા બંધમાં 1587.58 મિલિયન ક્યુબીક મીટર જેટલો પાણીનો સંગ્રહ હોઇ આગામી બે વર્ષ સુધી ગુજરાતને પાણીની અછત રહેશે નહીં તેમ મનાઇ રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા બંધની 121.92 મીટરની સપાટી ઉપરથી દરવાજા લાગ્યા છે. એટલે એમ કહી શકાય કે હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 45 મીટર જેટલી ઉંચી આવી છે. જો નર્મદા ડેમના દરવાજા ન લાગ્યા હોત તો પ્રવાસીઓને 45 સેન્ટીમીટરનો ઓવર ફ્લોનો નજારો જોવા મળી શકત.
જોકે હાલમાં નર્મદા ડેમની જળ સપાટી વધતા ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય. જે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યના પીવા અને સિંચાઈનું પાણી પૂરું પાડશે। હાલ ગુજરાતમાં મેધ મહેર યથાવત છે ત્યારે ગુજરાત ભરના ખેડૂતોની પાણીની માંગ ઘટી છે. જેને કારણે નર્મદા બંધના કેનાલમાં 5530 કયીસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે.
બીજી બાજુ કેનાલ હેડ પાવર હાઉસ પણ બંધ કરી દેવામાં આવતા નર્મદા બંધની જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. હાલ નર્મદા બંધમાં 1587.58 મિલિયનક્યુબીક મીટર જેટલું પાણી સંગ્રહિત થયેલું છે. જેના પગલે ગુજરાત રાજ્યને આગામી બે વર્ષ સુધી પાણીની અછતનો સામનો કરવો નહીં પડે તેમ માનવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મધ્યરાત્રિએ નર્સિંગ હોમમાં બોલાવવામાં આવ્યો, જ્યારે નર્સે ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો ત્યારે ગેંગરેપ થવાની હતી.

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

આગળનો લેખ
Show comments