Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંજારમાં ટીનેજ છોકરાએ એનેસ્થેસિયા આપીને 13 વર્ષની છોકરી પર દુષ્કર્મ આચર્યું

Webdunia
શનિવાર, 23 જૂન 2018 (12:13 IST)
કચ્છના અંજાર શહેરમાં 13 વર્ષની એક છોકરીને એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. અંજારના એક મેડિકલ સ્ટોરમાં કામ કરતા છોકરીના 16 વર્ષીય એક મિત્રની રેપના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. 13 વર્ષીય આ છોકરી પર 17મી જૂનના રોજ રેપ કરવામાં આવ્યો હતો પરંતુ એનેસ્થેસિયાની અસરને કારણે તે પોતાના માતા-પિતાને આની જાણ કરી શકે તેવી સ્થિતિમાં નહોતી. 21મી જૂનના રોજ તેણે પોતાના માતા-પિતાને આખી વાતની જાણ કરી. તેનો પરિવાર ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે.કેસની માહિતી અનુસાર, પોતાની એક દૂરની કઝીન બહેનના માધ્યમથી રેપ પીડિતા આ છોકરાના સંપર્કમાં આવી હતી. ગુનામાં તેની કઝીન બહેન પણ શામેલ હોય તેવી પોલીસને શંકા છે. સોમવારના રોજ પીડિતાની બહેને તેને સ્કૂલ જવાના બદલે પોતાના ઘરે આવાવનું કહ્યું. આરોપી ટીનેજ છોકરો ત્યાં પહેલાથી પહોંચી ગયો હતો. તેણે પીડિતાને એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપ્યું. ઈન્જેક્શનની અસરને કારણે પીડિતાનું કમરથી નીચેનું શરીર બહેર મારી ગયુ હતું. રેપ કર્યા પછી છોકરાએ તેને રોડ પર મુકી દીધી.આ દરમિયાન પોતાની દીકરીનું સ્કૂલ યૂનિફોર્મ ઘરે જ પડેલું જોઈને તેનો પરિવાર તેને શોધવા નીકળ્યો. ત્યારે તેમને પીડિતા રસ્તા પર માંડમાંડ ચાલતી દેખાઈ. અંજારના પોલીસ ઈન્સ્પેક્ટર ભરતસિંહ પરમાર જણાવે છે કે, સરકારી હોસ્પિટલમાં પીડિતાની સારવાર ચાલી રહી છે. અમે તે છોકરાની ધરપકડ કરી છે. જ્યારે છોકરીના માતા-પિતાએ તેને રોડ પર જોઈ ત્યારે તેના હાથમાં ફોન હતો. ત્યાં સુધી તે લોકોને ખબર નહોતી કે દીકરી પાસે મોબાઈલ ફોન છે. અમે ડોક્ટર્સની મદદથી કેસની તપાસ કરી રહ્યા છીએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments