Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આપ્યું રાજીનામું, પાટીદાર સમાજમાં ખળભળાટ

Webdunia
બુધવાર, 4 એપ્રિલ 2018 (13:14 IST)
પાટીદાર સમાજમાં ફરી એક વખત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ચર્ચાનો વિષય બન્યા છે. સોશિયલ મીડિયામાં એવા મેસેજ ફરી રહ્યા છે કે ખોડલધામના ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ રાજીનામુ આપ્યું છે. તેમણે એક વ્યક્તિના વધુ પડતા વર્ચસ્વથી કંટાળીને આ નિર્ણય લીધો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. તેમના રાજીનામાંથી પટેલ સમાજ અને રાજકારણ ક્ષેત્રમાં ખળભળાટ મચ્યો છે. આ માહિતી સામે આવ્યા બાદ ખોડલધાન ટ્રસ્ટના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું કે તેને નરેશ પેટલેનું રાજીનામુ મળ્યું નથી

આ માત્ર અફવા છે. નરેશ પટેલના વ્યક્તિત્વ પર વાત કરીએ તો, તેઓ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન છે. કાગવડ ખાતે બનેલા ખોડલધામ મંદિરના નિર્માણમાં તેમણે મોટો ફાળો આપ્યો છે. ખોડલધામ લેઉઆ પટેલ સમાજનું મોટુ સંગઠન છે અને સમાજમાં નરેશ પટેલનું વર્ચસ્વ પણ જોવા મળે છે. નરેશ પટેલના રાજીનામા બાદ રાજકોટમાં પાટીદાર વિદ્યાર્થીઓએ પરેશ ગજેરા વિરુદ્ધ નારા લગાવ્યા છે. વિદ્યાર્થીઓમાં પરેશ ગજેરા વિરુદ્ધ નારાજગી જોવા મળી છે. એવી પણ માહિતી ચર્ચાઈ રહી છે કે નરેશ પટેલે શનિવારે જ રાજીનામું આપી દીધું છે. જોકે હાલ તો ખોડલધામના ટ્રસ્ટીઓ દ્વારા તેમને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

સીપીએમ નેતા સીતારામ યેચુરીનુ નિધન, 72 વર્ષની વયે દિલ્હીના એમ્સમાં લીધા અંતિમ શ્વાસ

આગળનો લેખ
Show comments