Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવેથી ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો સપ્તાહમાં ત્રણ પ્રશ્નો પુછી શકશે

Webdunia
બુધવાર, 4 એપ્રિલ 2018 (13:11 IST)
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવતા અનસ્ટાર પ્રશ્નોની સંખ્યામાં મર્યાદા લગાવી દીધી છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા 28 માર્ચ 2018ના રોજ કરવામાં આવેલ આદેશ મુજબ ધારાસભ્યો હવે એક સપ્તાહમાં ફક્ત ત્રણ જ અનસ્ટાર પ્રશ્નો પૂછી શકશે. અનસ્ટાર પ્રશ્ન એટલે કે જેનો જવાબ લેખીતમાં આપવામાં આવે અને વિધાનસભા સત્રમાં તેના પર ચર્ચા કરવામાં આવતી નથી. જ્યારે સ્ટાર કરેલા પ્રશ્નોના જવાબ વિધાનસભામાં મૌખીક આપવામાં આવે છે અને તેના પર વિધાનસભામાં અન્ય અનુગામી પ્રશ્નો સાથે ચર્ચા પણ કરવામાં આવે છે. રાજકિય સુત્રોએ કહ્યું કે, આ પગલાના કારણે પ્રજાના અનેક પૈસાનો ખર્ચ બચી જશે. કેમ કે સામાન્ય રીતે મોટાભાગના ધારાસભ્યોની એક ટેવ હોય છે કે તે મહિનામાં લગભગ 1500 જેટલા અનસ્ટાર્ડ પ્રશ્નો પૂછી નાખે છે. જ્યારે આજના ઇન્ટરનેટ અને ટેક્નોલોજીના યુગમાં આટલા બધા પ્રશ્નો પુછવા જરુરી નથી. આજે અનેક પ્રશ્નોનો નિવારણ ઈલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના સહકાર સાથે ગુજરાતના CM વિજય રુપાણીના કાર્યક્રમ સ્વાગત ઓનલાઇન દ્વારા લાવવામાં આવે છે. જિલ્લા સ્તરે કોઓર્ડિનેશન મીટિંગ અને અનેક જુદી જુદી કચેરીઓ દ્વારા લોકદરબાર ભરીને નિવારણ કરાય છે.’આજે, ભાજપના મુખ્યમંત્રી લોકો માટે એક બટન જ દૂર છે. જો કોંગ્રેસ ખરેખર લોકો માટે કામ કરવા માગતી હોય તો તેણે આ ટૂલની મદદથી વધુમાં વધુ લોકોને મદદરુપ થઈ શકે તેવા પ્રશ્નો ઉઠાવવા જોઈએ. મારા મતે પ્રત્યેક સપ્તાહમાં પ્રતિ ધારાસભ્ય ત્રણ પ્રશ્નો યોગ્ય છે. જ્યારે આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે, આ આદેશ લોકતંત્રની હત્યા સમાન છે. અત્યાર સુધી દરેક ધારાસભ્ય દરરોજ 3 સ્ટાર પ્રશ્નો પૂછી શકતા હતા અને વિધાનસભાના બે સત્ર વચ્ચે અનલિમિટેડ અનસ્ટાર્ડ પ્રશ્નો પૂછી શકતા હતા. ત્યારે અધ્યક્ષ દ્વારા અનસ્ટાર્ડ પ્રશ્નોની મર્યાદા નક્કી કરવાનું આ પગલું ધારાસભ્યોના કોઈ મુદ્દો ઉઠાવાના અધિકારનું હનન છે. અમે આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ અને તેને પાછો લેવા માટે સ્પીકર પર દબાણ કરીશું. તાજેતરમાં પૂર્ણ થયેલા વિધાનસભા સત્રમાં કોંગ્રેસ દ્વારા ધારદાર સવાલોનો મારો ચલાવવામાં આવ્યો જેનાથી સરકાર ખોટા કામો જાહેર થઈ રહ્યા છે માટે ભાજપ સરકરાના દબાણ હેટળ સ્પીકરે આ નિર્ણય કર્યો છે. સ્પીકર દ્વારા આ આદેશ એસેમ્બલી રુલ નંબર 56 ચેપ્ટર 6 અંતર્ગત કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments