Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં સિઝનનો 68% વરસાદ છતાંય જળાશયોમાં હજુ સરેરાશ 55% ઘટ

Webdunia
શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (12:06 IST)
ચોમાસાની વર્તમાન સિઝનમાં ૨૨.૩૪ ઈંચ સાથે મોસમનો ૬૮.૨૯% વરસાદ નોંધાયો છે. જેની સામે જળાશયોમાં હજુ સુધી સરેરાશ ૪૪.૧૯% જળસ્તર છે. ગુજરાતમાં કુલ ૨૦૩ સ્કિમમાંથી ૧૫ જળાશયો ૧૦૦% ભરાયા છે જ્યારે ૯ સંપૂર્ણ ખાલીખમ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસ્તર ૪૮.૧૮% છે.  આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ૨૩ ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રના સૌથી વધુ ૮, દક્ષિણ ગુજરાતના ૫ અને મધ્ય ગુજરાતના ૨ જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છમાં હજુ સુધી ૧૬.૪૧ ઈંચ સાથે મોસમનો ૨૩.૮૯% વરસાદ પડયો છે. કચ્છના ૨૦ જળાશયોમાં માત્ર ૧૨.૨૨% જથ્થો છે. આમ, કચ્છમાં સાધારણ વરસાદને લીધે સ્થિતિ સૌથી ચિંતાજનક છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ૧૦.૬૨ ઈંચ સાથે મોસમનો ૩૭.૩૪% વરસાદ પડયો છે.
જેની સામે ઉત્તર ગુજરાતની ૧૫ સ્કિમમાંથી ૩૨.૯૬% જથ્થો  છે. માત્ર મધ્ય ગુજરાતમાં સ્થિતિ મહદ્અંશે સારી છે. મધ્ય ગુજરાતમાં ૧૯.૯૬ ઈંચ સાથે મોસમનો ૬૧.૩૫% વરસાદ પડયો. જેની સામે તેના ૧૭ જળાશયમાંથી ૨ સંપૂર્ણ ભરાયા છે અને તેમાં કુલ ૬૯.૫૨% જથ્થો છે. સૌરાષ્ટ્રની ૧૩૮ સ્કિમમાંથી ૮ સંપૂર્ણ ભરાયા છે અને તેમાં ૪૪.૪૯% જળનો જથ્થો છે.  કુલ ૨૫ જળાશયમાં ૯૦%થી વધારે જળનો જથ્થો હોવાથી તેમાં હાઇ એલર્ટ, ૧૨ જળાશયમાં ૮૦%થી ૯૦% જળનો જથ્થો હોવાથી એલર્ટ, ૮ જળાશયોમાં ૭૦%થી ૮૦% જથ્થો હોવાથી તેમાં વોર્નિંગ જાહેર કરાઇ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી એક સપ્તાહ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સ્થિતિમાં ગુજરાતના જળાશયોની સ્થિતિમાં વધુ સુધારો જોવા મળી શકે છે તેમ મનાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments