Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાર્જફ્રેમના તબક્કે હાર્દિકને હાઈકોર્ટનો 30મી ઓગસ્ટની મુદતે હાજર રહેવાનો આદેશ

Webdunia
શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (12:04 IST)
રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ સહિત અન્યો સામે કોર્ટમાં ચાર્જફ્રેમના તબક્કે આરોપીઓ હાજર નહીં રહેતા આખરે કોર્ટે આખરી તક આપી આગામી 30મી ઓગસ્ટની મુદતે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. સાથે હાઇકોર્ટમાં તેમના પડતર કેસનું સ્ટેટ્સ પણ જણાવવા માટે આદેશ આપ્યો છે. પાસના નેતા હાર્દિક પટેલ સહિત અન્ય આરોપીઓ સામે રાજદ્રોહના કેસમાં સરકાર તરફથી એડ્વોકેટ એચ.એમ. ધ્રુવ, સુધીર બ્રહ્મભટ્ટ તેમજ અમિત પટેલ દ્વારા કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી ઇરાદાપૂર્વક કોર્ટમાં હાજર રહેવાનું ટાળી રહ્યો છે. તેમજ કોર્ટની કાર્યવાહીને ગણકારતો નથી. આરોપી ઇરાદાપૂર્વક કેસની પ્રક્રિયાને વિલંબમાં નાખી રહ્યો છે. કોર્ટે અત્યાર સુધી આરોપીની માગણી મુજબ તારીખો આપી છે. આરોપી પાસે જાહેરસભામાં લોકોને સંબોધન કરવાનો સમય છે પરંતુ કોર્ટમાં આવવાનો સમય નથી. જેથી આરોપી સામે પકડ વોરંટ ઇશ્યૂ કરી તેને આગામી મુદતે કોર્ટ સમક્ષ હાજર કરવા હુકમ કરવો જોઇએ. બીજી તરફ કોર્ટ સમક્ષ તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, કોર્ટ આગામી મુદત આપે તો તે મુદતે તેઓ હાજર રહેવા તૈયાર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments