Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપ-આરએસએસના એકેય નેતાએ પ્રવિણ તોગડિયાના ખબરઅંતર પૂછયાં નહીં, હાર્દિક,મોઢવાડિયા,વણઝારા સિવાય કોઇ ફરક્યું નહીં

Webdunia
બુધવાર, 17 જાન્યુઆરી 2018 (11:49 IST)
ધોતિયાકાંડ-ગોધરાકાંડના હિરો ગણાતાં પ્રવિણ તોગડિયા હોસ્પિટલના બિછાને છે છતાંયે એકેય ભાજપ કે આરએસએસના નેતાએ ખબરઅંતર પૂછ્યા ન હતાં. હાર્દિક પટેલ,અર્જૂન મોઢવાડિયા અને ડી.જી.વણઝારાને બાદ કરતાં કોઇએ હિંદુવાદી નેતાની તબીયત કેવી છે તે જાણવામાં જરાયે રસ દાખવ્યો ન હતો. એન્કાઉન્ટર અને રાજસ્થાન પોલીસની ધરપકડના બીકે પ્રવિણ તોગડિયા આઠ કલાકથી વધુ અજ્ઞાાતવાસમાં રહ્યાં હતાં જેના પગલે વીએચપીના કાર્યકરો લાગણીવશ થઇ રોડ પર ઉતરી આવ્યા હતાં.

આજે જયારે તોગડિયાના ત્રાગા વિશે પોલીસે ખુદ ભાંડો ફોડયો કે, તેઓ ખુદ કોતરપુર સુધી કારમાં ગયા હતાં,ઘેરથી નીકળ્યાં ત્યારે જ ચંદ્રમણિ હોસ્પિટલના ડૉક્ટરને ફોન કરી દેવાયો હતો. આ આખાય નાટક બાદ તોગડિયાને કદાચ એમ હશે કે,ચાહકો,મિત્રો,રાજકીય નેતા,કાર્યકરો તબીયત પૂછવા હોસ્પિટલ પર ઉમટી પડશે પણ આ આખીય વાત ખોટી સાબિત થઇ. હિંદુ હૃદય સમ્રાટને આખોય દિવસ પૂછવા હોસ્પિટલમાં કોઇ ફરક્યુ નહી.ખાસ કરીને એકેય ભાજપનો નેતા-મંત્રી ડોકાયો ન હતો. એવી ચર્ચા ચાલી કે, એવો તો કોનો ડર છેકે, હિતેચ્છુ ય હોસ્પિટલમાં આવતા ડરે છે. સોશિયલ મિડિયામાં ય આ મુદ્દો છવાયો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments