Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારનું પતન થવાની તૈયારી - હાર્દિક પટેલ

Webdunia
શુક્રવાર, 25 મે 2018 (13:55 IST)
પાસ નેતા હાર્દિક પટેલે ભાવનગરના મેથળા ખાતે ગુજરાતની ભાજપ સરકારના પતન અંગે નિવેદન કરતાં રાજકારણ ગરમાયું છે. નીતિન પટેલ સહિત કેટલાક નેતાઓ ભાજપથી નારાજ હોવાનો ઉલ્લેખ કરાતાં મામલો ચર્ચાએ ચડ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર ભાવનગરના મેથળા ખાતે નિવેદન કરતાં હાર્દિક પટેલે કહ્યું છે કે, ગુજરાતમાં સરકારે કમૂરતામાં શપથ લીધા છે, સરકારનું પતન થવાની તૈયારીમાં છે. નીતિન પટેલ, પરૂષોત્તમ સોલંકી, બાબુ બોખીરિયા અને સી કે રાઉલજી સહિતના નેતાઓ નારાજ છે.

આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, હાર્દિકે સમાજના ન્યાય માટે, ખેડૂતો માટે જન આંદોલન કરે છે. યુવા નેતા છે. આ સરકાર જનવિરોધી છે. ભાજપ દલિત વિરોધી, યુવા વિરોધી અને જનતા વિરોધી છે. હું માનુ છું કે ખેડૂત વિરોધી પ્રજા વિરોધી નીતિઓને કારણે ભાજપમાં પણ આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. પૂર્વ પાસ કન્વિનર દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે, હાર્દિકનું નિવેદન રાજકીય પ્રેરિત છે. મીડિયામાં રહેવા માટે આવું કહેવાયું હોવાનું લાગી રહ્યું છે. ભારતીય જનતાની પાર્ટીને પાડી દેવાની નીતિનો જ એક ભાગ હોવાનું લાગી રહ્યું છે. નીતિનભાઇ નારાજ છે પરંતુ હાલમાં એવું કંઇ જણાતું નથી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments