Webdunia - Bharat's app for daily news and videos

Install App

BJPમાં ભૂકંપ, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આપ્યુ રાજીનામુ

Webdunia
મંગળવાર, 29 ડિસેમ્બર 2020 (12:50 IST)
ગુજરાતની રાજનીતિમાં મોટો ભૂકંપ જોવા મળ્યો છે. મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ C R Patilને લેખિતમાં રાજીનામું આપ્યું છે. અને એટલું જ નહીં પણ આ રાજીનામાંનો લેખિત પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હાલ રાજીનામું આપ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલી પણ દીધો છે. હાલ એવું પણ જાણવા મળી રહ્યું છે કે આગામી બજેટ સત્રમાં સાંસદ પદેથી રાજીનામું આપશે તેવા એંધાણ મળી રહ્યા છે.
 
 
તેમણે પત્રમાં જણાવ્યું છે કે ભાજપે મને મારી ક્ષમતાં કરતાં પણ ઘણું બધું આપ્યું છે. જે માટે પક્ષનો, પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું આભાર માનું છું. મારાથી શક્ય હતી તેટલી મેં પક્ષમાં વફાદારી નિભાવી છે. પક્ષના મૂલ્યો, જીવનના મૂલ્યો પણ અમલમાં મુકવા કાળજી રાખી છે. પરંતુ આખરે તો હું પણ એક માનવી છું. મનુષ્યના નાતે જાણે અજાણે ભૂલો તો થતી હોય છે. મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું. જે બદલ પક્ષ મને ક્ષમા કરે. બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્યપદેથી પણ સ્પીકરને રૂબરૂ મળીને હું રાજીનામું આપી દઈશ.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આગળનો લેખ
Show comments