Publish Date: Mon, 21 Dec 2020 (15:38 IST)
Updated Date: Mon, 21 Dec 2020 (15:40 IST)
બ્રિટનમાં સામે આવેલા કોરોના વાયરસના નવા સ્વરૂપને કારણે ભારત સરકાર સાવધ થઈ ગઈ છે. બ્રિટનથી આવતા વિમાનોને 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધિત કરવા સરકારે એક મોટું પગલું ભર્યું છે. નવા વાયરસના પગલે રાજધાની લંડન સહિત યુકેના ઘણા વિસ્તારોમાં ફરીથી લોકડાઉન કરવામાં આવ્યું છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે, 'બ્રિટનમાં પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે નિર્ણય લીધો છે કે બ્રિટનથી ભારત આવતી તમામ ફ્લાઇટ્સને 31 ડિસેમ્બર સુધીમાં 11:59 વાગ્યે અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવશે. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર, 11:59 વાગ્યાથી લાગુ થશે.