Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાંદખેડામાં પોલીસ ઈન્સ્પેક્ટરનો લમણામાં ગોળી મારીને આપઘાત

Webdunia
ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (12:40 IST)
ચાંદખેડામાં રહેતા અને નડિયાદ રૂરલ પોલીસમાં પી.આઈ.તરીકે ફરજ બજાવતા સુનિલ મલ્હી (39) એ આજે બપોરે પોતાના ઘરમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.પ્રાથમિક તપાસમાં તે લિવરની બિમારીથી પિડાતા હોવાથી આ અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને પગલે તેમના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ચાંદખેડા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. આ બનાવની વિગત મુજબ ચાંદખેડાના જનતાનગર સ્થિત પદ્મપ્રભુનગર કો.ઓ.હા.સોસાયટીમાં રહેતા સુનિલ સુદેશકુમાર મલ્હીએ તા. ૪.૧૦.૨૦૧૭ નાં રોજ બપોરે ૧.૩૦થી ૧.૪૦ વાગ્યા દરમિયાન પોતાના લમણામાં પિસ્ટલ વડે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ ગોળીબારનો અવાજ સાંભળીને તેમના પત્ની બેડરૃમમાં ગયા હતા. ત્યાં જઈને તેમણે જોયું તેમના પગ તળેથી ધરતી સરકી ગઈ હતી. પતિ સુનિલ મલ્હી પલંગમાં લોહીલુહાણ હાલતમાં પડેલા હતા અને બાજુમાં પિસ્ટલ પડી હતી. આથી તેમણે તાત્કાલિક પતિના પડોશમાં જ રહેતા મિત્ર ભરતસિંહને ફોન કરીને બનાવથી વાકેફ કર્યા હતા. તાત્કાલિક ભરતસિંહ તેમના ઘરે દોડી આવ્યા હતા. બાદમાં સુનિલ મલ્હીને તેમની કારમાં સાબરમતીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે ડોક્ટરે તેમને તપાસીને મૃત ઘોષિત કર્યા હતા. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.એચ.બી.ચાવડાના જણાવ્યા મુજબ આ અંગે અમને જાણ કરવામાં આવતા અમે હોસ્પિટલ દોડી ગયા હતા. બાદમાં તેમના ઘરે પહોંચ્યા હતા. આ સોસયટીમાં તેમના આજુબાજુમાં જ બે ફ્લેટ છે. જેમાં સુનિલ મલ્હી તેમના પત્ની, બે પુત્ર અને એક પુત્રી તથા માતાપિતા રહેતા હતા. તેમની માતા પણ એમડી ડોક્ટર છે.તેમના પિતાને ઘણા સમયથી પેરાલિસીસની બિમારી છે. અઠવાડિયા પહેલા જ તે રજા લઈને તેમના ચાંદખેડાના ઘરે આવ્યા હતા. જોકે ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી ઊપરાંત તેમણે આત્મહત્યામાં પોઈન્ટ ૩૨ બોરની લાયસન્સવાળી પ્રાઈવેટ પિસ્ટલનો ઊપયોગ કર્યો હતો. સુનિલભાઈના એક ભાઈ અમેરિકામાં છે તેમને જાણ કરવામાં આવતા તે અમદાવાદ આવવા નીકળી ગયા છે. જ્યારે અગાઊ ૨૦૦૯ માં તેમના એક ડોક્ટર ભાઈએ ગાંધીનગરમાં કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments