Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિકાસની મજાક ઉડાવનારી કૉંગ્રેસને પ્રજા માફ નહીં કરે: વિજય રૂપાણી

Webdunia
ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (12:34 IST)
કૉંગ્રેસ માટે વિકાસ એ મજાક છે, જ્યારે અમારા માટે વિકાસ એ મિજાજ છે. વિકાસ હવે જોશીલો, વેગીલો અને ઝંઝાવાદી બન્યો છે અને ભ્રષ્ટાચાર સદંતર નાબૂદ થયો છે. જેને કારણે કૉંગ્રેસ રઘવાઇ બની છે. વિકાસની મજાક ઉડાવનાર કૉંગ્રેસને ગુજરાતની જનતા માફ નહીં કરે એવું ગૌરવ યાત્રામાં અનેક સ્થળોએ પ્રજાજનોને સંબોધતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્ય પ્રધાને કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, કૉંગ્રેસ પરિવારવાદમાં માને છે. જ્યારે ભાજપ રાષ્ટ્રવાદમાં માને છે. કૉંગ્રેસે જે સાઇઠ વર્ષમાં ન કર્યું તે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ત્રણ વર્ષમાં કરી બતાવ્યું છે. ઘરનું ઘરના નામે ગુજરાતની જનતાને ભોળવીને ફોમ ભરાવનારી કૉંગ્રેસ કયા મોઢે વિકાસની વાતો કરે છે? તેવો વેધક પ્રશ્ર્ન પણ તેમણે કર્યો હતો. દરમિયાન જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકાના ભાજપના શાસનમાં સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને સાર્થક કરીને ભાજપાએ હંમેશાં સર્વસમાવેશક સર્વલાભદાયી સમરસ સામાજિક સંવાદિતાની રાજનીતિ કરી છે. યેનકેન પ્રકારેણ ગુજરાતના સમાજ જીવનને ડહોળવાના કૉંગ્રેસના મલિન ઇરાદાને ગુજરાતની જનતા આગામી સમયમાં જડબાતોડ જવાબ આપશે. વાઘાણીએ રાજ્ય સરકાર દ્વારા બિનઅનામત વર્ગના આયોગ અને પાટીદારો સામે પોલીસ કેસ પાછા ખેંચવાના નિર્ણયને આવકારતા કહ્યું હતું કે, બિનઅનામત વર્ગ માટે આયોગ તથા નિગમની રચના કરીને તથા તેને માટે ૨૦૦ કરોડ રૂપિયાની તુરંત જોગવાઇ કરીને ભાજપ સરકારે સમાજના તમામ વર્ગને સાથે રાખીને સમરસતાના વાતાવરણમાં વિકાસ માટે ઉઠાવેલા આ પ્રશંસનીય નિર્ણયને ગુજરાતની શાણી તથા સમજુ પ્રજા અવશ્ય વધાવી લેશે. પાટીદાર આંદોલન દરમ્યાન પોલીસ દમન અંગે તપાસ માટે જસ્ટિસ પુંજના વડપણ હેઠળ પંચની રચનાની જાહેરાતને પણ વધાવતા તેમણે કહ્યું હતું કે, આગામી સમયમાં બિનઅનામત વર્ગની ૫૮ જ્ઞાતિના પરિવારો, વિદ્યાર્થી, ખેડૂતો, પશુપાલકો, વેપારીઓ, શ્રમિકો સૌને માટે શૈક્ષણિક તથા અર્થોપાર્જન માટેની તકોના દ્વારા ઉપરોક્ત નિર્ણયોને લીધે ઊઘડી જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments