Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખરાબ તબિયત નહી, પરંતુ ભાજપના લીધે રદ થયો મનીષ સિસોદિયાનો ગુજરાત પ્રવાસ?

Webdunia
ગુરુવાર, 24 જૂન 2021 (09:03 IST)
ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે અને આમ આદમી પાર્ટીએ અત્યારથી ગુજરાતમાં પગપેસારો શરૂ કરી દીધો છે. થોડા દિવસો પહેલાં જ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતનો પ્રવાસ કર્યો હતો અને ગુરૂવારે એટલે કે આજે ડે.સીએમ મનીષ સિસોદિયા ગુજરાત આવવાના હતા, પરંતુ તેમણે તબિયત ખરાબ હોવાનું કારણ આપી પ્રવાસ રદ કર્યો છે. 
 
સૂત્રોના જણાવ્યા અનુસાર સિસોદિયા પાટીદાર અસમાજ સાથે જોડાયેલા એક મોટા બિઝનેસનને આપમાં સામેલ કરવા માટે આવી રહ્યા હતા, પરંતુ તેમણે હવે પ્રવાસ રદ કર્યો છે. મનીષ સિસોદિયા ભલે તબિયત ખરાબ હોવાનું કહી રહ્યા હોય પરંતુ જાણકાર તેની પાછળ ભાજપનો ગેમ પ્લાન બતાવી રહ્યા છે. 

<

કાલે સવારે ગુજરાત જવાનું હતું પરંતુ તબિયત થોડી ખરાબ થવાના કારણે ડૉક્ટરની સલાહ મુજબ હવે આવતીકાલનો કાર્યક્રમ કેન્સલ કરવો પડશે.

કાલે હું ગુજરાત નહિ આવી શકું તેનો ખેદ છે પરંતુ સ્વસ્થ થયા પછી તરત જ ગુજરાતને મળવા જલ્દી આવીશ.

— Manish Sisodia (@msisodia) June 23, 2021 >
 
મનીષ સિસોદિયાએ બુધવારે સાંજે 5 વાગ્યાની આસપાસ ટ્વીટ કરીને કહ્યું કે 'ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિનપ્રતિદિન વધુને વધુ મજબૂત થઈ રહી છે એ આપણા સૌના માટે ગૌરવની વાત છે. આપ સૌને ફરી એકવાર મળવા અને એક શુભ સમાચાર આપવા, આવતી કાલે હું આવી રહ્યો છું ગરવી ગુજરાતના આંગણે!
 
પરંતુ 4 કલાકમાં જ બધી વાતો ફરી થઇ. મનીષ સિસોદિયાએ વધુ એક ટ્વીટ કરીને કહ્યું, ' કાલે સવારે ગુજરાત જવાનું હતું પરંતુ તબિયત થોડી ખરાબ થવાના કારણે ડૉક્ટરની સલાહ મુજબ હવે આવતીકાલનો કાર્યક્રમ કેન્સલ કરવો પડશે. કાલે હું ગુજરાત નહિ આવી શકું તેનો ખેદ છે પરંતુ સ્વસ્થ થયા પછી તરત જ ગુજરાતને મળવા જલ્દી આવીશ.
 
જાણકારો ગુજરાતના પ્રવાદ રદ થવા પાછળ મોટી રમતની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. માનવામાં આવે છે કે સુરતના મોટા પાટીદાર હીરાના વેપારી આજે આમ આદમી પાર્ટી જોઇન કરવાના હતા, જેના સ્વાગત માટે મનીષ સિસોદિયા પોતે આવી રહ્યા હતા. પરંતુ ભાજપને આમ આદમી પાર્ટીના આ પ્લાનની ખબર પડી ગઇ, જેના લીધે બિઝનેસમેન આપમાં જોડાવવા માંગતા નથી. જ્યારથી આ વાત રાજકીય વર્તુળમાં ફેલાઇ છે ત્યારથી બિઝનેસમેને ફોન બંધ કરી દીધો છે. 
 
આમ આદમી પાર્ટી સુરતના પ્રવક્તા યોગેશ જાધવાનીએ મીડિયાને જે મેસેજ કર્યો છે તે પણ ટ્વીટથી બિલકુલ અલગ છે. યોગેશ જાધવાનીએ લખ્યું હતું કે મનીષ સિસોદિયામાં કોરોનાના લક્ષણ મળી આવ્યા છે. એટલા માટે સુરત નહી આવે. 
 
એવામાં સવાલ ઉભા થાય છે કે આમ આદમી પાર્ટી સતત ભાજપના લોકોને તોડીને 2022 ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં જોડાઇ  ગઇ છે. શું ભાજપને આમ આદમી પાર્ટીના આ ખેલની ખબર પડી ગઇ હતી, જેના લીધે મનીષ સિસોદિયાને પોતાનો સુરત પ્રવાસ રદ કરવો પડ્યો?

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

સુપ્રીમ કોર્ટનુ Youtube ચેનલ થયુ હેક, ક્રિપ્ટોકરંસી XRP સાથે સંકળાયેલી આવી રહી હતી Advt.

PM મોદી પહોચ્યા વર્ઘા, અનેક મહત્વની યોજનાઓ થઈ શરૂ, રજુ કરી આ ખાસ ટપાલ ટિકિટ

જાલના દુર્ઘટના બસ અને ટ્રક અથડાઈ 5 ની મોત 14 ઈજાગ્રસ્ત

Bullet Train: બુલેટ ટ્રેનની પહેલી ઝલક, ડ્રીમ રૂટ પર 350 kmph ની સ્પીડથી દોડશે

આગળનો લેખ
Show comments