Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગરમાં કરાર આધારિત અધ્યાપકોએ ધરણાં યોજ્યાં

Webdunia
બુધવાર, 4 ઑક્ટોબર 2017 (15:02 IST)
રાજ્યની સરકારી પોલિટેકનિક અને ડિગ્રી ઈજનેરી કોલેજમાં ફરજ બજાવતા કરાર આધારિત લેકચરરોને કાયમી નહીં કરાતા આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં અને મહાઉપવાસનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં આશરે ૫૦૦ જેટલાં અધ્યાપકો હાજર રહ્યા હતા ટેકનિકલ શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી ૩૦ જેટલી સરકારી પોલિટેકનિક અને ૧૭ જેટલી ઈજનેરી કોલેજોમાં કરાર આધારિત લેક્ચરરો અને આસીસ્ટન્ટ પ્રોફેસરો દસ વર્ષથી ફરજ બજાવે છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પચાસ વખત રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. ૫ વર્ષથી વધુ સેવા છતાં સળંગ સેવા ગણાતી નથી. વર્ષોથી પગાર વધારો અપાયો નથી. વર્ગ-૨ની જગ્યા છતાં વર્ગ-૩થી પણ ઓછો પગાર ચૂકવાય છે. નોટિસ વગર ૧૦૦ લેક્ચરરને છૂટા કરવામાં આવ્યાં હતા. હાલમાં જ કરાર આધારિત લેક્ચર અને આસી.પ્રોફેસરોને ૬૪ ટકાથી ૧૨૪ ટકા સુધીના પગાર વધારાથી પણ બાકાત રાખવામાં આવ્યા હતા. તેની સામે ઉચ્ચ શિક્ષણ વિભાગના ખંડ સમયના લેક્ચરરને કાયમી કરવાની જાહેરાત કરાઈ હતી. તેના કારણે એકને કણ અને એકને મણ જેવી સ્થિતિ સર્જાઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments