Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં વધુ 7 કેસ પોઝિટિવ નોંધાતા રાજ્યમા કોરોનાના કેસ સંખ્યા 95 પહોંચી, હજુ થોડા દિવસ વધુ સચેત રહેવાની છે જરૂર

Webdunia
શુક્રવાર, 3 એપ્રિલ 2020 (12:06 IST)
કોરોનાને લઇ અમદાવાદના લોકો માટે સૌથી માઠા સમાચાર સામે આવ્યા છે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ કરી અને જણાવ્યું હતું કે, છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં 7 કેસનો વધારો થયો છે. મહત્વની વાત તો એ છે કે આ તમામ કેસ અમદાવાદના જ છે. 7 પૈકી ચાર કાલુપુરના અને 3 બાપુનગરના કેસ સામે આવ્યા છે..રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે.રાજ્યમાં કોરોના પોઝિટિવના વધુ સાત કેસ નોંધાયા તમામ અમદાવાદના છે અને રાજ્યમાં આંક 95 પર પહોંચ્યો છે. 
 
મહત્વની વાત છે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે જો કે રાજ્યભરમાં કોરોનાના દર્દીઓ સાજા પણ થઇ રહ્યા છે. લોકડાઉનનો આજે 10મો દિવસ છે ત્યારે લોકો આજ રીતે ચુસ્ત પણે અમલ કરશે તો આજ રીતે કેસમાં ઘટાડો થશે. અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંકડો 38 પર પહોંચી ગયો છે જેમાં 3 લોકોના મોત પણ થયા છે. તેમજ રાજ્યમાં કુલ 8 દર્દીના મોત થયા છે. આજે સવારે પંચમહાલના કોરોનાના એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1944 ટેસ્ટ કર્યા છે.
 
ગુજરાતમાં કોરોનાના 95 કેસ
 
અમદાવાદ:38
સુરત:12
રાજકોટ: 10
વડોદરા:9
ગાંધીનગર:11
ભાવનગર :7
કચ્છ:1
મહેસાણા -1
ગીરસોમનાથ -2
પોરબંદર -3
પંચમહાલ-1

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments