Dharma Sangrah

ભારતીય સેનામાં જોડાવવા માંગો છો? તો અહીં યોજાશે લશ્કરી ભરતી મેળો

Webdunia
મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (09:03 IST)
4
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઉમેદવારો માટે આગામી સમયમાં હિંમતનગર ખાતે લશ્કરી ભરતી મેળો યોજાશે. આગામી તા. ૧૨ ઓગસ્ટ ૨૦૧૯ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. જેના માટે અરજદારોએ ઓનલાઇન www.joinindianarmy.nic.in વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
 
લશ્કરી ભરતી કચેરી દ્વારા આગામી તા.૨૮ ઓગસ્ટ- ૨૦૧૯ થી ૯ સપ્ટેમ્બર-૨૦૧૯ દરમિયાન સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ, ભોલેશ્વર, હિંમતનગર ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લશ્કરી ભરતી મેળામાં સોલ્જર જનરલ ડ્યૂટી, સોલ્જર ટેકનિકલ, સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ, સોલ્જર ક્લાર્ક, સ્ટોરકિપર ટેકનિકલ, સોલ્જર ટ્રેડ્સમેન અને સિપોઈ ફાર્માની ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે. 
 
સોલ્જર જનરલ ડ્યૂટી માટે ૧૭ ૧/૨ થી ૨૧ વર્ષ એટલે કે તા. ૧ ઓકટોબર-૧૯૯૮થી ૧ જૂલાઈ-૨૦૦૨ વચ્ચે જન્મેલા હોવા જોઈએ જયારે એકંદરે ૪૫ ટકા સાથે ધો.૧૦ મેટ્રિક પાસ હોવા જોઈએ. જેમાં દરેક વિષયમાં ૩૩ ટકા માર્ક્સ સાથે પાસ હોવા જરૂરી છે. શારીરિક લાયકાતમાં ૧૬૮ સે.મી. ઊંચાઈ, ૫૦ કિ.ગ્રા. વજન, ૭૭ સે.મી. છાતી (+૫ સે.મી. ફૂલવી જોઈએ.) જયારે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ૧૬૨ સે.મી. ઊંચાઈ, ૪૮ કિ.ગ્રા. વજન, ૭૭ સે.મી. છાતી (+૫ સે.મી. ફૂલવી જોઈએ.) હોવી જોઈએ. અન્ય જગ્યાના ધારાધોરણો www.joinindianarmy.nic.in ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 
 
આ ઉપરાંત શારીરિક યોગ્યતાના ધારાધોરણોમાં મહત્તમ ૧૬ કિ.મી. દોડ, ૧૦ પુલઅપ્સ, ઝીગ-ઝેગ બેલેન્સ અને ૯ ફૂટ લાંબી કૂદ નક્કી કરવામાં આવ્યાં છે. ભરતીમેળાનું એડમીટ કાર્ડ ઉમેદવારના રજીસ્ટર્ડ ઈ-મેઈલ આઈડી પર આગામી તા.૧૩ ઓગસ્ટ થી ૨૦ ઓગસ્ટ-૨૦૧૯ દરમિયાન મેઈલ કરવામાં આવશે, જેની પ્રિન્ટ સાથે લાવી જરૂરી છે. ભરતી મેળામાં ઉમેદવારોએ નિયત કરેલી શારીરિક, મેડિકલ અને લેખિત કસોટીમાં પાસ થવું જરૂરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

આગળનો લેખ
Show comments