Webdunia - Bharat's app for daily news and videos

Install App

બનાસકાંઠા અકસ્માત: થરાદ-વાવ હાઇવે પર જીપડાલુ પલટી મારતા એકનું મોત

Webdunia
સોમવાર, 5 ઑગસ્ટ 2019 (18:04 IST)
બનાસકાંઠામાં અકસ્માતમાં એક વ્યક્તિના મોતના સામાચાર સામે આવ્યા છે. જેમાં અનાજની બોરી ભરી જઇ રહેલું જીપડાલુ પલટી મારી જતા તેમાં બેઠેલા એક મજૂરનું ઘટના સ્થળ પર મોત થયું છે. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
 
થરાદ-વાવ હાઇવે રોડ પરથી પસાર થતા અનાજ ભરેલા એક જીપડાલાનું અચાનક ટાયર ફાટતા ગાડી પલટી ગઇ હતી. આ ઘટનામાં જીપડાલામાં બેઠેલા એક મજૂરનું ઘટના સ્થળે મોત થયું છે. અકસ્માતની ઘટનાને લઇને થરાદ-વાવ હાઇવે પર લોકોના ટોળા એકત્રીત થઇ ગયા હતા. જને લઇને ઘટના સ્થળ પર પોલીસે પહોંચી ટોળાને દૂર કર્યું હતું.
 
ટોળાને દૂર કર્યા બાદ પોલીસે 108ની મદદથી મૃતકની લાશ પીએમ અર્થે થરાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે આ ઘટનાને પગલે પોલીસે અકસ્માતે ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી મૃતક કોણ છે અને ક્યાંનો છે તે સહિતની માહિતી પ્રાપ્ત કરવા વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments