Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના બાહુબલી ધારાસભ્ય મધુશ્રીવાસ્તવને વેતરવાનો પ્લાન તૈયાર

Webdunia
મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (13:42 IST)
BJPના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છેલ્લી 3 ચૂંટણીથી વાઘોડિયા વિધાનસભા સીટ પરથી ચૂંટાઈ રહ્યા છે, પરંતુ હવે આ સીટને લઈને BJPમાં જ આતર્કલહ શરુ થયો છે. શ્રીવાસ્તવની જગ્યા લેવા માટે BJPના જ કેટલાંક મહત્વાકાંક્ષી લોકોએ પ્રયાસો શરુ કર્યા છે. વાઘોડિયા વિધાનસભા સીટ માટે પાર્ટીના કાર્યકરો દ્વારા આયોજિત ‘સ્નેહ મિલન’ કાર્યક્રમમાં પણ શ્રીવાસ્તવ ગેરહાજર રહ્યા હતા. શ્રીવાસ્તવે જણાવ્યું કે, ‘મને કાર્યક્રમમાં બોલાવાયો નહોતો તેમજ આ કાર્યક્રમના આયોજન અંગે કાંઈ જ ખબર નહોતી. નોંધનીય છે કે આ પ્રોગ્રામ સતીષ પટેલ ‘ખેરવાડી’, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ઘનશ્યામ પટેલ દ્વારા આ આયોજનમાં હાજરી અપાઈ હતી. તેઓ ત્રણેય વાઘોડિયા સીટ પરથી ચૂંટણી લડવા માગી રહ્યા છે. શ્રીવાસ્તવ વિરુદ્ધ છૂપો કેમ્પેઈન શરુ કરી દેવાયો છે. જેમાં તેને ઉત્તર પ્રદેશના વતની હોવાને કારણે એક ‘આઉટસાઈડર’ ગણાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર BJPના અન્ય કાર્યકરો અને શ્રીવાસ્તવ વચ્ચેની ખટાશ ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન જ સામે આવી ગઈ હતી. જે દરમિયાન શ્રીવાસ્તવના સપોર્ટર્સે  જરોદ ખાતે યાત્રાને વધાવવા માટેના સ્થળ પર વિધાનસભા ટિકિટ માટેના ઉમેદવારોના બોર્ડ્સ અને બેનર્સ લગાવા દેવાયા નહોતા.શ્રીવાસ્તવે જણાવ્યું કે, ‘મને રાજ્ય અને  કેન્દ્રના સત્તાધીશો દ્વારા મારી ટિકિટ પાક્કી હોવાની વાત કહેવામાં આવી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મધ્યરાત્રિએ નર્સિંગ હોમમાં બોલાવવામાં આવ્યો, જ્યારે નર્સે ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો ત્યારે ગેંગરેપ થવાની હતી.

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

આગળનો લેખ
Show comments