Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાવરકુંડલામાં કોંગ્રેસનાં બે આગેવાનોએ અપક્ષ તરીકે ભર્યા ઉમેદવારી ફોર્મ

Webdunia
શનિવાર, 18 નવેમ્બર 2017 (12:16 IST)
ગુજરાત વિધાનસભાની ચુંટણીને પગલે સૌરાષ્ટ્રમાં છવાયેલા રાજકીય ગરમાવા વચ્ચે આજે ઉમેદવારીપત્રો ભરવાનાં ચોથા દિવસે વધુ ૨૩ ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યા હતાં. સાવરકુંડલામાં તો કોંગ્રેસનાં બે આગેવાનોએ બળવો કરીને અપક્ષ તરીકે ઉમેદવારીપત્ર ભરી ચુંટણી જંગમાં ઝંપલાવતા ઉહાપોહ મચી ગયો છે. અમરેલી જિલ્લામાં આજે સાવરકુંડલામાં કોંગ્રેસમાં છેલ્લા ૨૫ વર્ષનાં કાર્યકર એડવોકેટ હિંમત બગડાએ પક્ષનાં નેતાઓની મનમાની અને પાયાનાં કાર્યકરોની કરાતી અવગણનાથી નારાજ થઈ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા કોંગીની જુથબંધી બહાર આવી છે.

અમરેલી જીલ્લામાં આજે ચાર ઉમેદવારી પત્રો ભરાયા હતાં. જેમાં લાઠી વિધાનસભાનાં આમ આદમી પાર્ટીનાં બે, એક અપક્ષ તેમજ સા.કુંડલામાં કોંગ્રેસનાં મંત્રિ હિંમતભાઈ દાનજીભાઈ બગડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. રાજકોટ જિલ્લામાં આજે ત્રણ ઉમેદવારીપત્રો ભરાયા હતાં. જેમાં રાજકોટ પશ્ચિમ બેઠક ઉપર બે અપક્ષોએ ઝંપલાવ્યું હતું. જયારે ધોરાજી સીટ ઉપર નવીન ભારત નિર્માણ મંચનાં ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. એ જ રીતે મોરબી જિલ્લામાં આજે બે અપક્ષોએ ઉમેદવારીપત્ર ભર્યા હતાં. પોરબંદર જિલ્લામાં બે બેઠકો ઉપર આજે આઠ ઉમેદવારીપત્રો ઉપડયા હતાં, પણ એકેય ભરાયું ન હોતું. જામનગર જિલ્લામાં આજે ૩૬ ફોર્મ ઉપડયા હતાં. જયારે જામનગર દક્ષિણ બેઠક ઉપર બે અપક્ષોએ ઉમેદવારીપત્ર ભર્યા હતાં. એ જ રીતે દવારકા જિલ્લામાં આજે ખંભાળિયા બેઠક પર બે અપક્ષો તથા દ્વારકા બેઠકમાં એનસીપીનાં ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. સોમનાથ જિલ્લામાં ચાર વિધાનસભા સીટ ઉપર અત્યાર સુધીમાં ૯૪ ફોર્મ ઉપડયા છે, પણ માત્ર તાલાલામાં જ બે ભરાયા છે. આજે એકપણ ફોર્મ ભરાયું ન હોતું. જૂનાગઢ જિલ્લામાં આજે ૨૫ ફોર્મ ઉપડયા હતાં અને વિસાવદર તથા કેશોદમાં બે ઉમેદવારીપત્ર ભરાયા હતાં. ભાવનગર જિલ્લામાં આજે બે ફોર્મ ભરાયા હતાં. જેમાં મહુવા બેઠક ઉપર સદભાવના મંચ તરફતી પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરીયાએ ઉમેદવારી નોંધાવી હતી. જયારે બોટાદ બેઠક ઉપર એક અપક્ષે ફોર્મ ભર્યં હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠકો ઉપર આજે બે અપક્ષ ઉમેદવારોએ જયારે આંબેડકર સમાજ પાર્ટીમાંથી એક ઉમેદવારે લીંબડીની બેઠક ઉપર જયારે વઢવાણ બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી જયેશ લાલજીભાઈ ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments