Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીમાં મીટિંગ માટે બેસાડી રાખીને પાટીદાર સમાજનું અપમાન કરનાર કોંગ્રેસને પાટીદારોનું 24 કલાકનું અલ્ટિમેટમ

Webdunia
શનિવાર, 18 નવેમ્બર 2017 (12:11 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર બાંભણિયાએ શુક્રવારે કોંગ્રેસને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવા અલ્ટિમેટમ આપ્યું છે. અનામત અંગે કોંગ્રેસે આપેલી 3 ફોર્મ્યુલા અંગે અંતિમ ચર્ચા માટે આમંત્રિત કરાયેલા ‘પાસ’ના આગેવાનોની કોંગ્રેસ હાઇકમાન્ડ સાથેની મુલાકાત થઈ શકી નહોતી, જેના કારણે દિનેશ બાંભણિયાએ સ્ફોટક નિવેદન આપ્યું છે કે, આ પાટીદારોનું અપમાન છે.

કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ 24 કલાકમાં સ્પષ્ટ કરે, નહીં તો ચૂંટણીમાં કોંગ્રેસનો પણ વિરોધ કરવામાં આવશે. બાંભણિયાએ ટીવી પર નિવેદન આપતાં જણાવ્યું કે, શુક્રવારે અમને આખો દિવસ ગુજરાત ભવનમાં બેસાડી રખાયા હતા, જે દરમિયાન ફક્ત ભરતસિંહ સોલંકીએ મુલાકાત કરી હતી. અમારી સાથે સિદ્ધાર્થ પટેલ હતા. તેમણે વારંવાર અશોક ગેહલોતને ફોન કરીને અમારી મુલાકાત માટે વાત કરી હોવા છતાં અમને કોઈ સમય અપાયો નહોતો. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે નિવેદન આપતા જણાવ્યું છે કે પાસના કોઈપણ નેતાઓ સાથે કોઈ પણ પ્રકારની નારાજગી નથી. કોઈપણ પ્રકારની ગેરસમજ થઈ હશે તો તેને દૂર કરવામાં આવશે. પાટીદારો સાથે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે.  
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments