Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપ અને કોંગ્રેસની હારજીતમાં જીએસટી મુખ્ય ભુમિકા ભજવશે?

Webdunia
બુધવાર, 8 નવેમ્બર 2017 (12:27 IST)
દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) લાગુ થયા બાદ ગુજરાતમાં આ એક મહત્ત્વપૂર્ણ ચૂંટણી મુદ્દો બની ગયો છે. રાજયનો વેપારી સમાજ જીએસટીને કારણે આવેલી આર્થિક મંદીથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. કોંગ્રેસ આ વેપારી વર્ગ વચ્ચે ઊપજેલા અસંતોષના ભરોસે ગુજરાતની સત્તામાં ૨૨ વર્ષ બાદ પાછા ફરવાની આશા રાખીની બેઠી છે. ભાજપને પણ તેનો અહેસાસ છે. તેને ધ્યાનમાં રાખતાં ભાજપે દ્યણી એવી વસ્તુઓ પર ટેકસ રેટ્સ દ્યટાડવાની માગ કરી છે, જે ગુજરાત કેન્દ્રિત છે.

પહેલી જુલાઈથી જીએસટી લાગુ થયાના તુરંત બાદ વ્યાવસાયિક સંગઠનોએ તેની વિરુદ્ઘ પ્રદર્શન શરૂ કર્યાં હતાં. આ બધામાં સુરતના કાપડ વ્યવસાયીઓ તરફથી કરવામાં આવેલાં પ્રદર્શન સૌથી મહત્ત્વપૂર્ણ રહ્યાં છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જીએસટી મુદ્દે તીખા અને મજેદાર કટાક્ષ પણ કર્યા છે. રાહુલે જીએસટીને નવું નામ આપ્યું છે 'ગબ્બર સિંહ ટેકસ'. જોકે નાણાપ્રધાન અરુણ જેટલીએ તેનો જવાબ આપતા કહ્યું છે કે, જે લોકોએ ૨ઞ્ સ્પેકટ્રમ, કોલ બ્લોક ફાળવણીમાં કૌભાંડો કર્યાં છે, તેઓ હવે જીએસટી જેવા ટેકસ પર સવાલ ઊભા કરી રહ્યા છે. ૭ ઓકટોબરે જીએસટી કાઉન્સિલે ૨૭ વસ્તુઓ પરના ટેકસ રેટ્સ ઘટાડ્યા હતા. તેમાંથી ઘણા ગુજરાતી કારોબાર સાથે જોડાયેલા છે. ગુજરાતમાં ટેકસટાઇલ વેપારીઓનો અસંતોષ જોતાં તમામ પ્રકારના સિન્થેટિક ફિલામેન્ટ યાર્ન જેવા કે નાયલોન, પોલિસ્ટર વગેરે, મેનમેડ સ્ટેપલ ફાઇબરથી બનેલા દોરા વગેરે પર ટેકસમાં રાહત આપી હતી. આ સિવાય ગુજરાત કેન્દ્રિત ખાદ્ય સામગ્રી ખાખરા અને અન્ય અનબ્રાન્ડેડ નમકીનોને પણ પાંચ ટકા ટેકસ સ્લેબમાં લાવવામાં આવ્યા છે. ચૂંટણીની જાહેરાતની બરાબર પહેલાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ માઇક્રો સિંચાઈ ઉપકરણો પરથી જીએસટી હટાવવાની જાહેરાત કરી હતી. જોકે કોંગ્રેસ હજી પણ જીએસટીના મુદ્દાની સાથે છે. ૮ નવેમ્બરે નોટબંધીના એક વર્ષ પર રાહુલ ગાંધી ગુજરાતના વેપારીઓ સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે. કોંગ્રેસે ૮ નવેમ્બરે શ્નબ્લેક ડેલૃમનાવવાની જાહેરાત કરી છે. રાહુલ ગાંધી ૩ નવેમ્બરે સુરતના કાપડ વેપારીઓને સંબોધિત કરી ચૂકયા છે. ભાજપ પણ આ સ્થિતિ પર નજર રાખીને બેઠો છે. ગુજરાતના વેપારીઓનો એક મોટો હિસ્સો પાટીદાર સમાજમાંથી આવે છે. પાટીદાર સમાજ ભાજપની સૌથી મોટી વોટબેંક છે. છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજમાં અનામતની માગ ઊઠી છે. હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) આ આંદોલન ચલાવી રહી છે. હાર્દિકે જાહેરમાં ભાજપનો વિરોધ અને કોંગ્રેસને સમર્થનની જાહેરાત કરી છે. આવામાં ભાજપનો આ મજબૂત ગઢ પણ ડગમગતો નજરે પડી રહ્યો છે. કોંગ્રેસ પણ જીએસટી પર ભાજપને દ્યેરી એક મોટો પડકાર આપી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments