Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં 15 વર્ષની સગીરાને પાડોશમાં રહેતાં ઘર જમાઈ સાથે પ્રેમ થયો, માતાએ સમજાવી તો આપઘાતની ધમકી આપી

Webdunia
સોમવાર, 1 ઑગસ્ટ 2022 (13:32 IST)
અમદાવાદ શહેરમાં રહેતી 15 વર્ષીય સગીરાને પાડોશમાં રહેતાં ઘર જમાઈ સાથે પ્રેમ થયો હતો. બાદમાં સગીરા ઘરજમાઈ સાથે રહેવા જીદે ચઢી હતી અને પોતાના શરીર પર બ્લેડ 
મારવાની ધમકીઓ આપતી હતી. સગીરાની ધમકીઓથી કંટાળીને તેના પરિવારજનોએ અભયમ હેલ્પલાઈનની મદદ માંગી હતી.અભયમની ટીમને સગીરાની માતાએ ફોન કરીને કહ્યું હતું કે, મારી 15 વર્ષની દીકરીને ઘર જમાઈ તરીકે રહેતા વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ થઈ ગયો છે. અને તેની સાથે જ રહેવાની જીદ કરે છે.અમે તેને સમજાવીએ તો તે હાથ પગ પર બ્લેડ મારવાની તેમજ અગાસીમાંથી કૂદીને આપઘાત કરવાની ધમકીઓ આપે છે.

કોલ મળતાંની સાથે જ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.કોલના સ્થળે જઈને અભયમની ટીમે માતાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમના પરિવારમાં બે દીકરીઓ છે. 15 વર્ષની દીકરીને તેમના ઘરની સામે ઘર જમાઈ તરીકે રહેતા યુવક સાથે પ્રેમ થઈ ગયો છે અને હવે તે આ યુવક સાથે જ રહેવાની જીદ કરે છે. તેને કંઈ કહીએ તો આપઘાત કરવાની અને શરીર પર બ્લેડ મારવાની ધમકીઓ આપે છે.સગીરાને થોડા સમય પહેલાં આ યુવક સાથે મિત્રતા થઈ હતી. બાદમાં બંને એકબીજાનો નંબર આપ લે કરીને વાત કરતાં હતાં અને સાથે ફરવા માટે પણ જતાં હતાં. યુવકે સગીરાને એક દિવસ કહ્યું કે, હું મારી પત્ની અને છોકરાને છોડીને તારી સાથે રહીશ એમ કહીને તે સગીરા પાસેથી અશ્લિલ ફોટો પણ મંગાવતો હતો. થોડા દિવસ પહેલાં યુવકે તેને કહ્યું હતું કે, બધાને આપણાં સંબંધની ખબર છે. તું 18 વર્ષની થાય એટલે આપણે લગ્ન કરી લઈશું.અભયમની ટીમે સગીરાને સમજાવી કે, અત્યારે અભ્યાસ કરવાની ઉંમર છે. તો અન્ય જગ્યાએ કોઈપણ જાતનું ધ્યાન આપવું નહીં તેમ કહીને મામલો થાળે પાડ્યો હતો અને બાદમાં યુવકને પણ અભયમની ટીમે ફોન કરીને સમજાવી સગીરાની જીંદગી બગડે નહીં અને તેનું લગ્નજીવન પણ બગડે નહીં તે અંગે સલાહ આપીને સમજાવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments