Festival Posters

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી લડશે કે નહી? આઠમ પર ખોલી દીધા પત્તા

Webdunia
શનિવાર, 20 ઑગસ્ટ 2022 (16:55 IST)
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધર્મપત્ની અંજલિબેન સાથે આજે સવારે શક્તિપીઠ અંબાજીની મુલાકાત લીધી હતી. અને તેમણે અંબાજી માતાના દર્શન કરીને આરતીનો લાહવો લીધો હતો. અને નિજ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. શક્તિપીઠ અંબાજી મંદિરના પૂજારી દ્વારા વિજય રૂપાણીને કુમકુમ તિલક કરી માતાજીની ચૂંદડી ઓઢાડી હતી. અંબાજી મંદિરના પૂજારીએ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને માતાજીનું શ્રી યંત્રની ભેટ અર્પણ કરી હતી. મંદિરમાં દર્શન બાદ માતાજીની ગાદીએ પણ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.
 
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાર્ટી જે કહેશે તેમ કરીશ, જ્યાંથી લડાવશે ત્યાંથી લડીશ નાં પાડશે તો નહીં લડું. તેમજ ભારતીય જનતા પાર્ટી પુન: સક્રિય થાય તે માટે પ્રયત્ન કરશું. વિજય રૂપાણીએ મંદિરમાં દર્શન બાદ માતાજીની ગાદીએ પણ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત વિજય રૂપાણીએ ગતરાત્રિએ રાજસ્થાનમાં બનેલી અક્સમાતની ઘટના બાબતે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. 
 
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં કહ્યું કે, રાજસ્થાનમાં અક્સમાતમાં ભોગ બનનાર દાંતાના કુકડી ગામના મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે માતાજીને પ્રાર્થના કરી. ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ બને તેવી માતાજીને પ્રાર્થના કરીએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સિલિન્ડર કે પાઇપલાઇન કયું સસ્તું છે? PNG કનેક્શન કેવી રીતે મેળવવું તે જાણો.

શું રોજ સાંજે તમારા પગ પર પણ સોજો આવી જાય છે તો ધ્યાન આપો, તમને આ હેલ્થ પ્રોબ્લેમ્બ હોઈ શકે

Red chilli pickle- લાલ મરચાનું અથાણું

Kids Story- સર્કસનો હાથી

પ્રેગનેન્સી મહિલાઓએ માં શું ખાવું જોઈએ, જાણો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બતાતે હૈ

એકા લખાની અને રવિ ભાગચંદકાના લગ્નમાં જોવા મળ્યો બોલીવુડ સ્ટાર્સનો મેળો, તેંડુલકર પરિવારે પુત્રવધૂએ સાથે મહેફિલની રોનક વધારી

ઘુરંઘર 2 માં યામી ગૌતમ બતાવશે દમદાર એક્શન ? એડવાંસ બુકિંગથી જ કમાવી લીધા 60 કરોડ રૂપિયા, BO પર રચશે ઈતિહાસ

ગુજરાતી જોક્સ - કેટલા પેગ પીઓ છો

ગુજરાતી જોક્સ - હું પરિણીત છું

આગળનો લેખ
Show comments