Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટાચૂંટણીનું ગણિત: શું બદલાયેલી સ્થિતિથી ભાજપને મળશે સીધો લાભ? કોને મળી શકે છે કેટલી સીટો

Webdunia
ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (10:53 IST)
આગામી મહિને ગુજરાતમાં પેટાચૂંટણી યોજાવવાની છે. તેના માટે ભાજપ અને કોંગ્રેસ બંને તૈયારીઓમાં લાગી ગઇ છે. ગુજરાતમાં 3 નવેમ્બરથી જે આઠ વિધાનસભાની સીટો પર પેટાચૂંટણી યોજાવવની તે તમામ સીટો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ખાતામાં ગઇ હતી, તો બીજી તરફ આઠ સીટોમાં બે સીટો કપરાડા અને ડાંગી એવી હતી કે જેમાં કોંગ્રેસના ઉમેદવાર ફક્ત 170 સીટો અને 768 વોટથી જીત્યા હતા.
 
એટલા માટે ભાજપ આ બંને પર કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવાર જીતુભાઇ ચૌધરી અને મંગળ ગામિતને ટિકીટ આપશે તો પરિણામ ભાજપ વિરૂદ્ધ આવી શકે છે. કારણ કે સંભાવના છે કે આ બંને સીટો ભાજપના હારેલા ઉમેદવાર માધુ રાઉત અને વિજય પટેલ નિષ્ક્રિય બની શકે છે. 
 
તો બીજી તરફ મોરબીમાં ક્રાંતિ અમૃતિયાને ફક્ત 3419 વોટોના અંતરથી કોંગ્રેસના બ્રિજેશ મેરજાએ હરાવ્યા હતા. અત્યારે ભાજપના અમૃતિયા ચૂંટણીથી અદ્રશ્ય જોવા મળી રહ્યા છે. કારણ કે ભાજપ બ્રિજેશ મેરજાને ટિકીટ આપવાનો વાયદો કરી ચૂકી છે. 
 
ધારીમાં ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને 15336 વોટોથી હરાવી કોંગ્રેસના કેવી કાવડિયા વિજેતા બન્યા હતા. જેથી જો ભાજપ તેમને ટિકીટ આપશે તો તે જીતી શકે છે. 
 
અબડાસામાં કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજાએ 9746 વોટોના અંતરથી ભાજપના છબીલ પટેલને હરાવ્યા હતા. અત્યારે છબીલ પટેલ ક્યાંય નથી જેથી ભાજપ માટે પ્રદ્યુમન સિંહ તારણહાર બની શકે છે. 
 
લીમડીમાં કોંગ્રેસના સોમાભાઇ પટેલે ભાજપના કિરીટ સિંહ રાણાને 14651 વોટોના અંતરથી હરાવ્યા હતા પરંતુ આ વખતે મેદાનમાં કિરીટસિંહને ચાન્સ વધુ છે. ભાજપ સોમાભાઇને ટિકીટ આપવાની નથી. 
 
ગઢડામાં પણ વર્ષ 2017માં કોંગ્રેસના પ્રવિણ મારૂ  9424 વોટોથી તથા કરજણમાં અક્ષય પટેલ 3564 વોટોની સરાસરીથી ચૂંટણીથી જીત્યા હતા. આ બંને ઉમેદવારો દ્વારા ક્રમશ: ભાજપના આત્મારામ પરમાર અને સતીષ પટેલને હરાવ્યા હતા. 
 
ભાજપ પોતાના હારેલા ઉમેદવાર આત્મારામ પરમારને ફરીથી ટિકીટ આપવાની છે અને કરજણમાં અક્ષય પટેલને ટિકીટ આપવાનું વચન આપ્યું હતું. વર્ષ 2017માં મળેલી બઢત અને હાલની બદલાયેલી સ્થિતિની સમીક્ષા કરવામાં આવે તો આઠ સીટોમાં ભાજપને ચારથી સીટોનો સીધો લાભ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

વધુ જુઓ..

નવીનતમ

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

આગળનો લેખ
Show comments