Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કોરોના વાયરસના પ્રતિ કલાકે 18 નવા કેસ- સરેરાશ 1નું મોત

Webdunia
શુક્રવાર, 22 મે 2020 (16:23 IST)
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં જ કોરોનાના કુલ 1068 કેસ નોંધાયા છે અને 260 વ્યક્તિના મૃત્યુ થયા છે. આમ, છેલ્લા 10 દિવસની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પ્રતિ કલાકે 18 નવા કેસ નોંધાય અને 1 વ્યક્તિ મૃત્યુ પામે છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 12905 થઇ ગયો છે અને અત્યારસુધી કુલ 773 વ્યક્તિના મૃત્યુ થયા છે. આમ, કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા સ્થાને છે. ગુજરાતમાં હાલ છેલ્લા 22 દિવસથી સતત કોરોનાના દરરોજના 300થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. જેના ઉપરથી જ ગુજરાતમાં કોરોના કેટલું વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે તેનો અંદાજ આવી શકે છે. બીજી તરફ અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કુલ 3363 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ અમદાવાદમાં પ્રતિ કલાકે સરેરાશ 14 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. ગુજરાતમાં કોરોનાના જે કુલ કેસ નોંધાયા છે તેમાંના 73.19% માત્ર અમદાવાદમાંથી છે. આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુ થયા છે તેમાંના 80 ટકા માત્ર અમદાવાદમાંથી જ નોંધાયા છે. દેશના જે શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં મુંબઇ બાદ અમદાવાદ બીજા સ્થાને છે. મુંબઇમાં કોરોનાથી 841 વ્યક્તિના મૃત્યુ થયા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments