Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના કામ ના આવ્યોઃ આસારામની જેમ પુત્ર નારાયણ સાઈને પણ જામીન ન મળ્યા

Webdunia
શુક્રવાર, 22 મે 2020 (15:10 IST)
કોરોનાની મહામારીનું કારણ આપી ગુજરાત હાઈકોર્ટ પાસેથી જામીન મેળવવામાં આસુમલ હરપાલાણી ઉર્ફે આસારામની જેમ તેમના પુત્ર નારાયણ સાઈ પણ અસફળ રહ્યા છે. સુરત કોર્ટના હુકમની બળાત્કાર કેસમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા સાઈએ કોવિડ 19ની બીમારીના આધારે જેલ સતાવાળાઓના માધ્યમથી પરિવારને મદદરૂપ થઈ શકે તે માટે જામીન માંગ્યા હતા. સુપ્રીમ કોર્ટે જેલોનું ભારણ અને વાયરસના સંક્રમણનું જોખમ ઓછું થાય તે માટે સરકારને કેદીઓને છોડવા સૂચન કર્યા પછી મોટાભાગના કેદીઓ મહામારીમાં પરિવારોને મદદ કરવા જામીન માંગી રહ્યા છે. પરંતુ સાઈની દલીલથી જસ્ટીસ જેવી પારડીવાળા અને જસ્ટીસ આઈ.જે.વોરાની પીઠ સંતુષ્ટ થઈ નહોતી અને જામીન અરજી ફગાવી દીધી હતી. 30 માર્ચે હાઈકોર્ટે આસારામને પણ હંગામી જામીન આપવા ઈન્કાર કર્યો હતો. તેમણે પોતાને જેલમાં કોરોનાનું સંક્રમણ થવાની ભીતિ દર્શાવી હતી. આસારામ હાલમાં જોધપુરની જેલમાં છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી, 100થી વધુ રસ્તાઓ બંધ, આઠ જિલ્લામાં પૂરની ચેતવણી

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતને બીજો ગોલ્ડ મળ્યો, નિતેશ કુમારે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો

છત્તીસગઢના બેમેતરામાં 17 વાંદરાઓને ગોળી મારી, ભયનો માહોલ, વન વિભાગે શરૂ કરી તપાસ

ઈન્દોરની હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે છેડતી: નશામાં ધૂત વ્યક્તિએ રૂમમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની ચેતવણી, આ રાજ્યોમાં પણ ચોમાસું સક્રિય, જાણો IMDનું અપડેટ

આગળનો લેખ
Show comments