Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના કામ ના આવ્યોઃ આસારામની જેમ પુત્ર નારાયણ સાઈને પણ જામીન ન મળ્યા

Webdunia
શુક્રવાર, 22 મે 2020 (15:10 IST)
કોરોનાની મહામારીનું કારણ આપી ગુજરાત હાઈકોર્ટ પાસેથી જામીન મેળવવામાં આસુમલ હરપાલાણી ઉર્ફે આસારામની જેમ તેમના પુત્ર નારાયણ સાઈ પણ અસફળ રહ્યા છે. સુરત કોર્ટના હુકમની બળાત્કાર કેસમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા સાઈએ કોવિડ 19ની બીમારીના આધારે જેલ સતાવાળાઓના માધ્યમથી પરિવારને મદદરૂપ થઈ શકે તે માટે જામીન માંગ્યા હતા. સુપ્રીમ કોર્ટે જેલોનું ભારણ અને વાયરસના સંક્રમણનું જોખમ ઓછું થાય તે માટે સરકારને કેદીઓને છોડવા સૂચન કર્યા પછી મોટાભાગના કેદીઓ મહામારીમાં પરિવારોને મદદ કરવા જામીન માંગી રહ્યા છે. પરંતુ સાઈની દલીલથી જસ્ટીસ જેવી પારડીવાળા અને જસ્ટીસ આઈ.જે.વોરાની પીઠ સંતુષ્ટ થઈ નહોતી અને જામીન અરજી ફગાવી દીધી હતી. 30 માર્ચે હાઈકોર્ટે આસારામને પણ હંગામી જામીન આપવા ઈન્કાર કર્યો હતો. તેમણે પોતાને જેલમાં કોરોનાનું સંક્રમણ થવાની ભીતિ દર્શાવી હતી. આસારામ હાલમાં જોધપુરની જેલમાં છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments