Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટ-જૂનાગઢ બસ રદ થતા મુસાફરો રઝળી પડતા હોબાળો મચાવ્યો

Webdunia
સોમવાર, 1 જૂન 2020 (13:12 IST)
રાજકોટ ST ડિવીઝન દ્વારા આજે રાજકોટ-જૂનાગઢ રૂટની સવારની 8 વાગ્યાની બસ રદ કરવામાં આવતા મુસાફરો રઝળી પડ્યા હતા. મુસાફરોએ ST બસસ્ટેન્ડની અંદર હોબાળો મચાવ્યો હતો. મુસાફરોએ પોતાના મોબાઇલ ફોનમાં બસ રદ કરવામાં આવી તેના કોઇ મેસેજ આવ્યા નથી તેનો પૂરાવો પણ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. મુસાફરો ST તંત્રથી નારાજ થયા હતા. ડેપો મેનેજર પણ હાજર ન હોવાથી અને ફોન ન ઉપાડતા હોવાનો આક્ષેપ કર્યો હતો. મુસાફર ભાર્ગવભાઇએ જણાવ્યું હતું કે, આઠ વાગ્યાની બસ છે જેમાં એક બસની અંદર ત્રણ-ત્રણ જાતની ટિકિટ આપવામાં આવી છે. જેમાં લોકલ, એક્સપ્રેસ અને ગુર્જરનગરીનો સમાવેશ થાય છે, આ કંઇ રીતે બને.  બસ કેન્સલ કરી તેનો કોઇ અહીં જવાબ આપતું નથી. કોઇ મેસેજ આવ્યો નથી. અત્યારે બે-ત્રણ કલાકે લેઇટ બસો જાવા દે તો શું કરવાનું? આવી રીતની તકલીફ છે. કોઇ ફોન ઉપાડતું નથી. અમારી બસ આખી ફૂલ હતી.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments