Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટણમાં રાણકીવાવની ટિકીટનો મુદ્દો, કોંગ્રેસને ભીખમાં આટલા રૂપિયા મળ્યા

Webdunia
ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2020 (13:59 IST)
ગુજરાત ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ પાટીલે ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન પાટણની વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકી વાવની મુલાકાત સમયે ટિકીટ નહીં લીધી હોવાનો અખબારોમાં ઘટસ્ફોટ થયો હતો. ત્યારે આ ઐતિહાસિક વિરાસતને નિહાળવા માટેના નિયમો બધા માટે સરખા હોવા જોઈએ એવી માંગ સાથે કોંગ્રેસે નેતાઓને ટીકિટના પૈસા ભરપાઈ કરવાની માંગ કરી હતી. પરંતુ ભરપાઈ ન કરતા કોંગ્રેસ દ્વારા ભાજપના નેતાઓના ટિકિટના પૈસા ભરવા માટે હાથમાં ટોપલી લઇ ભિખારી બની બજારોમાં ભીખ માંગી અનોખી રીતે ભાજપ સામે વિરોધ પ્રદર્શન કરતા ચકચાર મચી હતી. અને એકત્ર થયેલ રકમ પીએમ રાહત ફંડ માં જમા કરાવી ટિકિટના પૈસા ભરપાઈ કરી દેવા અપીલ કરી હતી. કોંગ્રેસે ગલ્લા , કટોરી અને અન્ય પાત્રોમાં કાર્યકરો અને હોદેદારોને માંગેલ ભીખમાં કુલ 2287 રૂપિયા ભીખ આવી હતી. એક વ્યક્તિના 35 રૂ. લેખે 2450 રૂપિયા થાય છે. જેથી 163 રૂપિયા ઓછા પડ્યા હતા.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

આગળનો લેખ
Show comments