Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોજગારી માટે 150થી વધુ આદીવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પરિસર માથે લીધું

Webdunia
સોમવાર, 12 નવેમ્બર 2018 (17:36 IST)
સ્થાનિક આદિવાસી યુવાનોને રોજગારી મળે તે માટે આજે 150થી વધુ યુવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર છોડીને જતા રહેવા સ્થાનિક લોકોએ જણાવી દીધુ હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઇ હતી. અને મામલો શાંત પાડવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા.
કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં નોકરી માટે સ્થાનિક આદિવાસી લોકોની અવગણના કરવામાં આવી રહી છે. જેથી આજે 150થી વધુ સ્થાનિક આદિવાસી યુવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ્રવેશ કર્યો હતો. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં નોકરી આપવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ યુવાનોએ સુત્રોચ્ચારો કરીને પ્રવાસીઓને પરિસરમાંથી બહાર નીકળી જવા માટે જણાવી દીધુ હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પહોંચી ગઇ હતી. અને મામલો શાંત પાડવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા.

સ્થાનિક આગેવાન નરેશ તડવીએ જણાવ્યું હતુ કે, અમારા 6 ગામના લોકોને રોજગરી આપવાની વાત કારી હતી. પરંતુ આ લોકો ખાનગી એજન્સીઓને કામ સોંપી તેઓ બહારથી કર્મચારી લાવે છે, જે ખોટું છે. જો સ્થાનિકોને રોજગરી નહીં આપો વળતર નહીં આપો, જમીનો નહીં આપો, તો અમે કોઇપણ પ્રવાસીઓને અંદર નહીં આવવા દઈએ. આ બાબતે પ્રાંત અધિકારી એ.ડી.ભગતે જણાવ્યું કે, હાલ 6 ગામના લોકોમાં જે બેરોજગારી છે, તેમનું લિસ્ટ મંગાવ્યું છે. 3 ગામોનું આવી ગયું છે અને જે બાકીના ગામો છે તેમનું લિસ્ટ તૈયાર થાય છે. મિટીંગ કરી તમામને સમાવવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments