Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhanurasana- ધનુરાસનની રીત અને ફાયદા

Webdunia
રવિવાર, 10 માર્ચ 2024 (14:48 IST)
Dhanurasana- આમાં, શરીરનો આકાર સામાન્ય રીતે દોરેલા ધનુષ જેવો થઈ જાય છે, તેથી તેને ધનુરાસન કહેવામાં આવે છે.
 
 
વિધિ :  ધરતી પર યોગ માટે ફેલાવી મકરાસનની અવસ્થામાં પેટના બળે ઉંધી સૂઈ જાઓ. પછી બંને પગને પરસ્પર અડાડી હાથોને કમર સાથે જોડો. દાઢી ભૂમિ પર ટેકવો. એડી-પંજા અને ધૂંટણ જોડાયેલા હોય. કોણીઓ કમરને અડેલી, ઉપરની તરફ હથેળી મુકો. હવે પગને ઘૂંટણથી વાળો. પછી બંને હાથથે પગના અંગૂઠાને જોરથી પકડો. પછી હાથ અને પગને ખેંચતા ઘૂંટણ પણ ઉપર ઉઠાવો. માથુ પાછળની તરફ પગના તળિયા પાસે લઈ જાવ. આખા શરીરનો ભાર નાભિપ્રદેશના ઉપર જ રહે. કુમ્ભક કરીને આ સ્થિતિમાં 10-30 સેકંડ સુધી રહો.
 
પાછા ફરવા માટે પહેલા દાઢીને જમીન પર ટેકવી પગ અને હાથને સમાનાંતર ક્રમમાં ક્રમશ: ધીરે ધીરે જમીન પર લઈ ફરીથી મકરાસનની સ્થિતિમાં આવી જાવ.અને શ્વાસોચ્છસની પ્રક્રિયા સામાન્ય બનતા તેનું પુનરાવર્તન કરો. આ રીતે ત્રણથી ચાર વાર આ આસન કરો.
 
સાવધાની : જે લોકોને કમરનો દુખાવો અથવા ડિસ્કની તકલીફ હોય તેમણે આ આસન કરવું હિતાવહ નથી. પેટને લગતો અન્ય કોઈ રોગ હોય તો પણ આ આસન ન કરવું જોઈએ.
 
લાભ : ધનુરાસનથી પેટની ચરબી ઘટાડી શકાય છે. આનાથી બધા જ આંતરિક અંગો, માંસપેશિયો તથા ઘુટણના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે.આ આસન શરીરમાં ઉર્જા તથા સત્વ, રજસ,તમસ એમ ત્રણ ગુણોનું સંતુલન બનાવી રાખે છે. હ્રદય મજબુત બને છે. ગળાના તમામ રોગ મટી જાય છે. પાચનશક્તિમાં વધારો થાય છે. શ્વાસોશ્વાસની ક્રિયા સુઘડ બને છે. કબજીયાતની તકલિફ દૂર થાય છે. મેરૂદંડમાં લચીલાપણું આવેઅ છે. સર્વાઈકલ, સ્પોંડોલાઈટીસ, કમરનો દુખાવો તથા પેટના દર્દોમાં આ હિતકારી આસન છે. સ્ત્રીઓની માસિક વિકારોમાં લાભપ્રદ છે.કિડ્નીને પોષણ આપી મુત્ર-વિકારોને દૂર કરે છે.

Edited by-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સરકારી હોસ્પિટલમાં છ દિવસમાં પાંચ સગર્ભા મહિલાઓના મોતથી ભારે આક્રોશ ફેલાયો છે, જેમાં ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે.

બેંગલુરુમાં, એક ડિલિવરી બોય બળજબરીથી એક મહિલાના ઘરમાં ઘૂસી ગયો, વોશરૂમનો ઉપયોગ કર્યો અને પછી પોતાને ખુલ્લા પાડ્યા

ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ અને કાશ્મીરમાં ચોમાસાના વરસાદને કારણે સ્થિતિ કેવી રહેશે? આ અઠવાડિયે ત્રણેય રાજ્યોમાં હવામાન કેવું રહેશે?

ગાઝિયાબાદમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ જ્યારે એક DPS સ્કૂલ બસમાં અચાનક આગ લાગી ગઈ; જો બાળકો તેમાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

વરસાદથી બચવા માટે એક બળદ દુકાનની છત પર ચઢી ગયો; નીચે ઉતરવાનો પ્રયાસ કરતી વખતે શેડ તૂટી પડ્યો.

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments