Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખબર છે ઉત્તરાયણને લઇને ભારતમાં શું છે માન્યતા? 23 વર્ષ જૂનો છે ઇતિહાસ, જાણો શું છે માન્યતાઓ અને પરંપરાઓ

Webdunia
શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (11:35 IST)
કહેવાય છે કે ઇ.સ. પૂર્વે ત્રીજી સદીમાં ચીનમાં પતંગની શોધ થઇ હતી. પતંગ બનાવવા માટે જરૂરી સામગ્રી જેવી કે પતંગ ઉડાડવા માટેનો મજબૂત દોરો, તેને અનુરૂપ હલ્‍કુ ને મજબૂત વાંસ તથા રેશમનું કપડુ ચીનમાં ઉપલબ્‍ધ હતું. દુનિયાની પ્રથમ પતંગ એક ચીની દાર્શનિક મોડીએ બનાવી હતી. આ ચીન પછી પતંગનો ફેલાવો જાપાન, કોરીયા, થાઇલેન્‍ડ, બર્મા, ભારત, અરબ, ઉત્તર આફ્રિકા સુધી થયો. પતંગ ઉડાડવાનો શોખ દુનિયાના અનેક ભાગોમાં થઇ ભારતમાં પહોચ્‍યો જે આજે ભારતની સંસ્‍કૃતિ અને સભ્‍યતામાં વણાઇ ગયો છે.
 
 
મકર સંક્રાતિ  - ઉતરાયણ એટલે સૂર્યનું ઉત્તર દીશામાં પ્રયાણ થવુ, આ દિવસ પવિત્ર હોઇ નદીઓમાં સ્‍નાન કરવું, ગરીબોને દાન આપવાની પરંપરા ચાલતી આવી છે. અન્‍ય દેશોમાં પતંગ 2300 વર્ષના ઇતિહાસમાં વિવિધ માન્‍યતાઓ પરંપરાઓ અને અંધવિશ્વાસોની વાહક પણ રહી છે. માનવીની આકાંક્ષાઓને આકાશની ઉંચાઇઓ સુધી લઇ જનારી પતંગ કયાંક અપશુકનની કે પછી કયાંક ઇશ્વર સુધી પોતાનો સંદેશ પહોંચાડવાના માધ્‍યમના રૂપમાં પ્રતિષ્‍ઠિત છે.
 
ચીનમાં કિંગ રાજવંશના શાસક દરમ્‍યાન પતંગ ઉડાડીને તેને અજ્ઞાત છોડી દેવાને અપશુકન માનવામાં આવતી. જયારે કપાયેલી પતંગને પકડવી કે ઉઠાવવાને  પણ અપશુકન માનવામાં આવતી.  પતંગ ધાર્મિક આસ્‍થાઓના પ્રદર્શનનું પણ માધ્‍યમ રહી છે. થાઇલેન્‍ડના લોકો પોતાની પ્રાર્થના ભગવાન સુધી પહોંચાડવા માટે વર્ષા ઋતુમાં પતંગ ચગાવતા. જયારે કોરીયામાં લોકો દ્વારા  પતંગ પર બાળકોના નામ અને તેની જન્‍મ તારીખ લખી ઉડાડવામાં આવતી કે જેથી એ વર્ષે બાળક સાથે સંકળાયેલું દુર્ભાગ્‍ય પતંગની સાથે જ ઉડી જાય તેવી માન્‍યતા તેઓની સાથે જોડાયેલી છે.
 
પતંગ સાથે  હવામાનનું થર્મોમીટર મીટર જોડી માહિતી મેળવવા આગાહી અને અભ્‍યાસ કરવા ઉપરાંત ડેલ્‍ટા યુનિ ઓફ ટેકનોલોજી દ્વારા એક પ્રોજેકટ હેઠળ 102 m ના પતંગ દ્વારા 10 કિલોવોટ સુધીની ઉર્જા ઉત્‍પાદનનો પ્રયોગ હાથ ધરવામાં આવ્‍યો હતો. આ અંગે જે વિસ્‍તારોમાં હવાનો તેજ પ્રવાહ હોય તેવા વિસ્‍તારોમાં પતંગની દોરી સાથે ટર્બાઇનની મુવમેન્‍ટ જોડીને ઉર્જા ઉત્‍પાદન ક્ષેત્રે સંશોધનના સતત પ્રયાસો હાથ ધરાઇ રહયા છે. આમ, આવી અનેક માન્‍યતાઓ પતંગના ઇતિહાસ અને ઉત્તરાયણ સાથે જોડાયેલી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Doctor's Day 2026 Wishes: આ ખાસ મેસેજ અને કોટ્સની સાથે આપણા રિયલ હીરોજ ને કહો હેપ્પી ડોક્ટર્સ ડે

30 વર્ષ પછી તમારી કિડની અને લીવરને સ્વસ્થ રાખવા માટે, તમારા આહારમાં આ ખોરાકનો કરો સમાવેશ

સવારે નાસ્તામાં બનાવો મસૂર દાળનો કરકરો ડોસો, વજન ઘટાડવા ઇચ્છતા લોકો માટે પરફેક્ટ રેસીપી

ઓછા બજેટમાં ડબલ ટેસ્ટ! સુરતની આ જગ્યાઓ ફૂડ લવર્સ માટે છે સ્વર્ગ

મુંબઈ સ્ટાઈલનો ચીઝ મસાલા પાવ ફક્ત 5 મિનિટમાં બનાવો; રસોઈયાની જેમ તૈયાર કરવા માટે આ ટિપ્સ અનુસરો

વધુ જુઓ..

નવીનતમ

રુદ્રાક્ષ પહેરવાથી થાય છે અનેક ફાયદા, જાણો ક્યારે અને કેવી રીતે કરશો ધારણ ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જુલાઈ 2026

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 જૂન 2026

ભગવાન જગન્નાથની દેવ સ્નાન યાત્રા: 108 ઘડામાંથી પવિત્ર જળથી ભવ્ય અભિષેક, અને હાથીના વેશમાં દર્શન

આગળનો લેખ
Show comments