Webdunia - Bharat's app for daily news and videos

Install App

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ની દયાબેન બીજીવાર બની માતા, Disha Vakani એ પુત્રને આપ્યો જન્મ

Webdunia
બુધવાર, 25 મે 2022 (10:37 IST)
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનુ પાત્ર દ્વારા સૌનુ દિલ જીતનારી દિશા વકાનીને ઘણા લાંબા સમયથી ફેંસ મિસ કરી રહ્યા છે. દિશા વર્ષ 2017માં પુત્રીની મા બની હતી. એ દરમિયાન જ દિશા મૈટરનિટી લીવ પર ગઈ હતી. બધાને લાગ્યુ હતુ કે પુત્રીના જન્મના થોડા દિવસ પછી દિશા શો મા પરત આવશે. પણ આવુ ન થયુ. એટલુ જ નહી અત્યાર સુધી દિશા શો માં પરત આવી નથી. હવે એવુ પણ કહેવાય રહ્યુ છે કે દિશા શો મા પરત નહી આવે અને તેમના સ્થાન પર કોઈ અન્ય શો મા દયાબેનનુ પાત્ર ભજવશે. બીજી બાજુ એવુ પણ સાંભળવા મળી રહ્યુ છે કે દિશા શો મા પરત આવશે. આ બધા વચ્ચે આ મોટા  સમાચાર આવ્યા છે કે દિશા બીજીવાર મા બની છે. 
 
દિશા પુત્રની માતા બની  
ઈ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, દિશા આ વખતે એક પુત્રની માતા બની છે. તેણે થોડા દિવસ પહેલા પુત્રને જન્મ આપ્યો હતો. તેના પતિ અને બિઝનેસમેન મયુર પંડ્યા અને તેના ભાઈ એક્ટર મયુર વાકાણીએ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે.
 
ઉલ્લેખનીય છે કે  વર્ષ 2021 માં, દિશા તેના પતિ સાથે ફેમિલી ફંક્શનમાં જોવા મળી હતી અને તે સમયે અભિનેત્રીનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. શોમાં સુંદર લાલનું પાત્ર ભજવનાર દિશાના ભાઈ મયુરે કહ્યું, "હું ખૂબ જ ખુશ છું કે હું ફરીથી મામા બની ગયો છું. 2017 માં, દિશાની પુત્રીનો જન્મ થયો અને હવે એક પુત્ર છે. હું બહુ ખુશ છું.'
 
દિશાના કમબેક પર બોલ્યા અસિત મોદી
તાજેતરમાં, શોના નિર્માતા અસિત મોદીએ દયા બેનના પાત્રની વાપસી વિશે કહ્યું, 'અમે શોમાં તેનો ટ્રેક ફરીથી બતાવવાની સંપૂર્ણ યોજના બનાવી છે. મને ખબર નથી કે દિશા દયા બેન તરીકે આવશે કે નહી. દિશા બેન હોય કે નિશા બેન, અમે શોમાં દયાનું પાત્ર ચોક્કસ લાવીશુ. 
 
સુંદર વીરાએ દિશાના કમબેક પર શુ કહ્યુ 
દિશાના ભાઈએ કહ્યું, 'દિશા ચોક્કસપણે શોમાં પરત ફરશે. તેને ઘણો સમય થઈ ગયો છે અને તારક મહેતા એકમાત્ર એવો શો છે જ્યાં દિશાએ આટલા વર્ષો સુધી કામ કર્યું. એવુ કોઈ કારણ નથી કે દિશા શોમાં પાછી ના આવે. અમે રાહ જોઈ રહ્યા છીએ કે તે ક્યારે પાછી આવશે.
 
હવે જોવાનું છે કે દિશા આખરે શોમાં ક્યારે પરત આવશે.  કોઈપણ રીતે  આ સમયે નિર્માતાઓ માટે શોમાં દયા બેનનુ કમબેક કરવુ જરૂરી છે કારણ કે ધીમે ધીમે ઘણા કલાકારો આ શો છોડી રહ્યા છે. હાલમાં જ શોમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ શો છોડી દીધો હોવાના સમાચાર સામે આવ્યા છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments