Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોન કે કર્જમાંથી જલ્દી મુક્તિ મેળવવા માટે અપનાવો આ 9 ટોટકા

Webdunia
રવિવાર, 8 ઑક્ટોબર 2017 (11:48 IST)
કર્જ કે લોન એક એવી વસ્તુ છે જેનાથી કાદચ જ કોઈ બચી શકતુ હોય. ક્યારેય ને ક્યારેક દરેકને કોઈને કોઈ રૂપમાં લોનનો બોજો ઉઠાવવો જ પડે છે.  કોઈને પોતાની નાની-મોટી જરૂરિયાત પુરી કરવા માટે કર્જ જોઈએ તો કોઈને મકાન, બિઝનેસ અને ફેક્ટરી જેવી મોટી શરૂઆત માટે લોન લેવી પડે છે.  આધુનિક ભાષામાં આપ તેને લોન કહી શકો છો. આ લોન કે કર્જ એવુ હોય છે કે દરેકને પરસેવો નીકળી જાય છે. આવામાં દરેક ઈચ્છે છે કે તેમને જલ્દીથી જલ્દી આ લોનમાંથી મુક્તિ મળે અને તેઓ આરામની જીંદગી જીવે. આવો જાણીએ આવા જ કેટલક ટોટકા વિશે જેનાથી તમે જલ્દીથી જલ્દી કર્જમાંથી મુક્તિ મેળવી શકશો. 
 
1. મંગળવારે અને શનિવારે હનુમાન મંદિરમાં જઈને તેમના પર તેલ અને સિંદૂર ચઢાવો. ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમને ફાયદો થશે. 
 
2. પાંચ એવા લાલ ગુલાબ લો, જે પુર્ણ રૂપે ખીલેલા હોય. હવે દોઢ મીટર સફેદ કપડુ લઈને તેમા આ પાંચ ગુલાબને ગાયત્રી મંત્ર બોલતા બોલતા બાંધી દો. આને જઈને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. 
 
3. બુધવારના દિવસે મૂંગ (સવા પાવ) ઉકાળીને તેમા ઘી અને ખાંડ મિક્સ કરીને ગાયને ખવડાવો.  તેનાથી જલ્દી કર્જમાંથી મુક્તિ મળે છે. 
 
4. કહેવાય છે કે લાલ મસૂરની દાળનું દાન કરવાથી પણ કર્જમાંથી જલ્દી મુક્તિ મળે છે. 
 
5. માટીના દીવામાં સરસિયાનુ તેલ ભરીને આ દિવા પર ઢાંકણ લગાવી દો. તેને કોઈ શનિવારે નદી કે તળાવ કિનારે માટી નીચે ડાટી દેવાથી ફાયદો થાય છે. 
 
 
6. કર્જમાંથી મુક્તિ મેળવવા માટે આ મંત્રોમાંથી કોઈ એકનો જાપ રોજ કરશો તો જરૂર ફાયદો થશે. 
 
ૐ ગણેશ ઋણ છિન્ધિ વરેણ્યં હું નમ: ફટ્ટ 
 
ૐ મંગલમૂર્તયે નમ: 
 
ૐ ગં ઋણહર્તાયૈ નમ: 
 
7. સ્મશાનમાં રહેલ કૂવામાંથી પાણી ભરીને પીપળાના ઝાડ પર ચઢાવો. આ નિયમ સતત 7 શનિવાર સુધી કરશો તો ફાયદો થશે. 
 
8. એવુ કહેવાય છે કે ભોજનમાં ગોળનો પ્રયોગ પણ આ દ્રષ્ટિએ ઉત્તમ છે. 
 
9. લોનમાંથી જલ્દી છુટકારો મેળવવા માટે ઋણમોચન મંગળ સ્તોત્રનો પાઠ કરો અને લોનનો પ્રથમ હપ્તો મંગળવારના દિવસથી જ આપવો શરૂ કરો. કહેવાય છે કે તેનાથી કર્જ જલ્દી ઉતરી જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

Vastu Tips: વાસ્તુ મુજબ આ 5 વસ્તુઓ ભેટમાં આપવી છે અશુભ, સંબંધોમાં આવી શકે છે ખટાશ

આગળનો લેખ
Show comments