Webdunia - Bharat's app for daily news and videos

Install App

હરિદ્વારના બ્રહ્મકુંડમાં જ કેમ કરાય છે અસ્થિ વિસર્જન?

Webdunia
સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (00:18 IST)
સનાતન પરંપરામાં માણસ જીવનની શરૂઆતથી લઈને તેની અંતિમ યાત્રા સુધી ગંગાથી જોડાયેલો રહે છે. જીવતા જીવ કોઈ પાપથી મુક્તિ માટે તો કોઈ મોક્ષની કામના લઈને ગંગામાં ડુબકી લગાવે છે. તો અંતિમ સંસ્કાર પછી પણ તેમની અસ્થિઓનું વિસર્જન ગંગામાં કરવામાં આવે છે.
જ્યારે પૃથ્વી પર ગંગા અવતરણ થયું 
હરિદ્વારન તીર્થ પુરોહિતનું પંડિત કહે છે જે હરિદ્વાર હમેશાથી ઋષિઓની તપસ્થળી રહી છે. હરિદ્વારની હરકી પોડીમાં અસ્થિ વિસર્જન કરવાનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે રાજા સાગરના વંશજ રાજા ભગીરથે પોતાના વડવાઓના ઉદ્ધાર માટે કઠિન તપસ્યા કરીને  માતા ગંગાને ધરતી પર ઉતારી લાવ્યા હતા. 
 
સ્પર્શ માત્રથી મળે છે મોક્ષ
સ્વર્ગથી ઉતરીને માતા ગંગા ભગવાન શિવજીની જટાઓમાંથી નિકળીને રાજા ભગીરથની પાછળ પાછળ ચાલી નિકળી. જ્યારે રાજા ભગીરથ ગંગા નદીને લઈને હરિદ્વાર પહોંચ્યા તો સાગરના પૌત્રોના ભસ્મ થયેલા અવશેષોને ગંગાનો સ્પર્શ માત્ર થતાં જ તેમનો મોક્ષ થઈ ગયો. એ સ્થળ આ બ્રહ્મકુંડ છે. તે પછી આ પાવન ધાટ પર  અસ્થિ વિસર્જન થવા લાગ્યું. માન્યતા છે કે જ્યાં સુધી ગંગામાં વ્યક્તિની અસ્થિઓ રહે છે ત્યાં સુધી તે વ્યક્તિ સ્વર્ગની અધિકારિ બન્યું રહે છે. આ પવિત્રતાને ધ્યાનમાં રાખીને અંતિમ સમયે પણ વ્યક્તિના મુખમાં ગંગાજળ નાંખવામાં આવે છે.
અનિષ્ટની આશંકાનો હોય છે અંત
માનવામાં આવે છે કે અનિષ્ટકારી શક્તિઓ જેવી કે ભૂત-પ્રેત જેવા માટે અસ્થિઓ તથા સૂક્ષ્મ દેહ પર નિયંત્રણ કરીને તેનો દુરપયોગ કરવો આસાન થઈ જાય છે. એવામાં જો અસ્થિઓ ભૂમિ પર એક સાથે મળી જાય તો તેમના દ્વારા અનિષ્ટની આશંકા વધી જાય છે. તો પવિત્ર નદી કે સમુદ્ર આદિના જળમાં અસ્થિ વિસર્જન કરવાથી અસ્થિઓ જળમાં વિખેરાય જાય છે. એવામાં અનિષ્ટકારી શક્તિઓ એકત્રિત થઈ શકતી નથી.
 
આ રીતે મળ્યું બ્રહ્માને વરદાન 
પૌરાણિક કથા મુજબ રાજા સ્વેતએ હરકી પોડીમાં ભગવાન બ્રહ્માની ઘોર તપસ્યા કરી હતી. જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને વરદાન માંગવા કહ્યુ હતુ. ત્યારે રાજા સ્વેતે તેમની પાસે હરકી પોડી ઈશ્વરના નામથી ઓળખવામાં આવે, એવું વરદાન માંગ્યુ હતુ. તે સમયથી હરકી પોડીના પાણીને બ્રહ્મકુંડના નામથી ઓળખવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments