Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરના બારણા પર આંબાના પાન લગાવવા શુભ છે કે અશુભ, લગાવતા પહેલા જરૂર જાણી લો આ વાત

Webdunia
શુક્રવાર, 22 જૂન 2018 (05:40 IST)
ઘરના શણગારની વાત હોય કે પછી કોઈ પણ શુભ કામની, ઘરના મુખ્ય દ્વારને હમેશા આંબાના પાનના તોરણ લગાવાય છે. પણ શું તમે જાણો છો આ વૃક્ષના પાનમાં આવું શું છે જે તેને દરેક શુભ કામમાં ઉપયોગ કરાય છે. આવો જાણીએ તેના પાછળનો ધાર્મિક કારણ  
 
જો આંબાના પાનની વાત કરવામાં આવે તો આંબાના પાનને અત્યંત શુભ માનવામાં આવે છે. ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં આંબાના ઝાડને પૂજનીય ગણાય છે. એવું પણ છે કે તેના ફળ સિવાય તેની લાકડી અને પાન પણ ખૂબ લાભકારી અને ગુણકારી હોય છે. હિંદુ ધર્મમાં આંબાના વૃક્ષની લાકડીઓનો ઉપયોગ સમિધાના રૂપમાં 
 
કરાય છે. ગણાય છે કે આ લાકડીને ઘી સાથે સળગાવતા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. તેના વૃક્ષના પાનના તોરણ ઘરના મુખ્ય બારણા પર લટકાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધવાની સાથે મંગળ કાર્ય નિર્વિધ્ન પૂરા થઈ જાય છે. 
ALSO READ: આ દિશામાં સાવરણી મુકવાથી થાય છે ધનલાભ
ધાર્મિક માન્યતા અનુસાર કેરીને હનુમાનજીનું પ્રિય ફળ માનવામાં આવે છે. તેથી જ્યાં પણ  કેરી અથવા કેરીના પાન હોય છે ત્યાં હનુમાનજીની વિશેષ કૃપા વરસે છે.
 
એવું માનવું છે કે આંબાની લાકડી, ઘી,  હવન સામગ્રી વગેરેના હવનમાં ઉપયોગ કરવાથી વાતાવરણમાં સકારાત્મકતા વધે છે. 
ALSO READ: શા માટે પવિત્ર ગણાય છે સોના-ચાંદીના પાત્ર પૂજામાં..
ઘરના પ્રવેશદ્વાર પર આંબાના પાનનો તોરણ લટકાવવાથી ઘરમાં પ્રવેશ કરતાં દરેક માણસ સાથે સકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે. 
 
તે સિવાય એવું પણ માનવું છે કે બહારથી આવતી હવા જ્યારે પણ આ પાનનો સ્પર્શ કરીને ઘરમાં પ્રવેશે છે તો સાથે સરાકાત્મક કણોને પણ સાથે લાવે છે. 
 
આંબાના પાનથી ટકરાવીને ઘરમાં આવતી હવા ઘરમાં સુખ-સમૃદ્ધિ  લાવે છે. કંકસ દૂર થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ વધવાની સાથે મંગળ કાર્ય વગર વિધ્ન પૂરા થઈ જાય છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શ્રાવણ ઉપવાસ માટે ઠંડુ-ઠંડુ ફ્રૂટ યોગર્ટ

Dengue ગંભીર ફ્લૂ - ડેન્ગ્યુ થયો છે કેવી રીતે જાણશો ? જાણી લો તેના લક્ષણો અને બચવાના ઉપાય

કોથમીર વડી

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

ચોમાસામા કયા શાકનું સેવન કરવું હેલ્ધી હોય છે ?

વધુ જુઓ..

નવીનતમ

Kamika Ekadashi Vrat Katha - કામિકા એકાદશી વ્રતનુ મહત્વ અને વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -9 ઓગસ્ટ, 2026

Happy Shravan 2026 Wishes In Gujarati: સ્નેહીજનોને મોકલી આપો શ્રાવણ મહિનાના આ શુભ સંદેશ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 8 ઓગસ્ટ , 20226

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

આગળનો લેખ
Show comments