Webdunia - Bharat's app for daily news and videos

Install App

મમ્મી યે લોગ પરેશાન કર રહે હૈ મુઝે લે જા..અને બીજા દિવસે ફોન આવ્યો આપકી બહેનને ફાંસી ખાલી હૈ. ઉસકી લાશ લે જાઓ.

દહેજના ભૂખ્યા સાસરિયા સામે હારી વધુ એક દિકરી

Webdunia
બુધવાર, 29 ડિસેમ્બર 2021 (17:18 IST)
-અમદાવાદના મેમકો વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ સાસરીયાના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. પરિણીતાની માતા દ્વારા આ મામલે આક્ષેપ કરાયો છે કે, તેમની દીકરીને દહેજ આછું આપવાના કારણે સાસરીવાળા સતત પરેશાન કરતા હતા. અને ફાંસો ખાધા પહેલા રાત્રે જ દીકરીએ તેમને ફોન કરીને ઘરે લઈ જવા માટે કહ્યું હતું. બીજા દિવસે સવારે જ દીકરીએ ફાંસો ખાઈ લીધો હોવાના સમાચાર પરિવારને મળ્યા.
 
ઘટનાની વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશની દામીનીના 8 જૂન 2019માં મધ્ય પ્રદેશના નિવાસી અને અમદાવાદમાં રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન સમયે યુવકના પરિવારે રૂ.10 લાખના દહેજની માંગણી કરી હતી. જોકે તે સમયે યુવતીના પરિવારજનોએ 4 લાખ આપ્યા અને બાકીના લગ્ન બાદ થોડા થોડા આપવાની વાત કરી હતી. પરંતુ દહેજ ઓછું મળવાના કારણે લગ્ન બાદથી જ યુવતીને દહેજ મામલે શારીરિક અને માનસિક ત્રાસ સાસરીયાં દ્વારા આપવામાં આવતો હતો. આ વાત પરિણીતાએ પોતાના પરિવારજનોને ફો
ન પર ઘણીવાર જણાવી હતી.
 
27મી ડિસેમ્બરે બપોરે દામીનીએ પતિના ફોનથી પોતાના ભાઈને કરીને કહ્યું હતું કે, મુજે ઘર આના હૈ. જેથી ભાઈએ શું થયું એમ પૂછતાં તેના બનેવીએ જવાબ આપ્યો, 'આજ મેં થોડી બિયર પી કર ઘર આયા થા, તો થોડા સા ઝઘડા હો ગયા.' આ બાદ ભાઈએ તેની માતા સાથે બહેનની વાત કરવતા યુવતીએ ફોનમાં કહ્યું, મમ્મી યે લોગ પરેશાન કર રહે હૈ મુઝે લે જા.' ત્યાર બાદ ફોન કટ થઈ ગયો હતો. આથી પરિવારની દીકરી સાથે વધારે વાત થઈ શકી નહોતી. 
 
આ બાદ બીજા દિવસે સવારે પોણા છ વાગ્યે સાસરીથી દામીનીના ભાઈને ફોન આવ્યો અને કહેવાયું કે, 'આપકી બહેનને ફાંસી ખાલી હૈ. ઉસકી લાશ લે જાઓ.' આ બાદ પરિવાર ઉત્તર પ્રદેશથી અમદાવાદ પહોંચ્યો હતો. દીકરીની લાશને પી.એમ માટે અમદાવાદ સિવિલમાં લઈ જવાઈ હતી, જ્યાં પરિવારને તેના કપાળમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી પરિવારે આ મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં દીકરૂના પતિ સહિત સાસરીયા વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments