Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિગ્ગજ પાટીદાર આગેવાન નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઇને મોટા સમાચાર

દિગ્ગજ પાટીદાર આગેવાન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે નહી: સૂત્રો

Webdunia
મંગળવાર, 14 જૂન 2022 (18:55 IST)
વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી  યોજાવવાની છે. જેને ગુજરાતમાં કોંગ્રેસ, આપ અને ભાજપ સહિતની પાર્ટીઓ સક્રિય થઇ ગઇ છે. પક્ષાંતરનો દૌર શરૂ થઇ ગયો છે તો બીજી તરફ મોટા ચહેરાઓને પોતાની તરફ કરવા માટે પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં રહેલા પાટીદાર આગેવાન નરેશ પટેલ ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં તેને લઇને સતત અટકળો ચાલી રહી હતી. તો થોડા સમય પહેલાં આપમાં જોડાવવાની વાત પણ વહેતી થઇ હતી. 
પરંતુ આ બધાની વચ્ચે હવે નરેશ પટેલની રાજનીતિમાં એન્ટ્રી મામલે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. 
 
આજે નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઇને ચાલી રહેલી અટકળો પર વિરામ લાગી ગયો છે. સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે નરેશ પટેલ રાજકારણમાં જોડાવાના નથી. આ અંગે ગુરૂવારે અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ખોડલધામની ત્રણેય સંસ્થાઓની ગુરૂવારે કાગવડમાં બેઠક યોજાવાની છે. 
 
ગુરૂવાર એટલે કે 16 જૂને ખોડલધામની ત્રણેય સંસ્થા જેમાં ખોડલધામ ટ્રસ્ટ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન તથા લેઉવા પટેલ અતિથિ ભવન સોમનાથના હોદ્દેદારોની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ત્રણેય સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહેવાના છે. આ બેઠક બાદ નરેશ પટેલ રાજનીતિમાં ન જોડાવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે. જેમાં તે તમામ જાહેરાત કરે તેવી શક્યતા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments