Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાવડ યાત્રા દરમિયાન દુકાનદારોના નામ લખવાના આદેશ પર કેમ થઈ રહ્યો છે વિવાદ?

Webdunia
ગુરુવાર, 18 જુલાઈ 2024 (18:00 IST)
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે મુઝફ્ફરનગર પોલીસના એ નિર્ણય પર ટિપ્પણી કરી છે, જેમાં કાવડ યાત્રાના રૂટ પર ખાવાપીવાની દુકાનો પર દુકાનદારનું નામ લખવાનો આદેશ આપ્યો હતો.
 
અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું,"નામ- ગુડ્ડૂ, મુન્ના, છોટૂ અને ફત્તે છે, તેમનાં નામોથી શું ખબર પડશે?"
 
અખિલેશ યાદવે આ મામલે ન્યાયાલયને કાર્યવાહી કરવાની માગ કરી હતી.
 
અખિલેશે ટ્વીટ કર્યું છે, “માનનીય ન્યાયાલય જાતે જ સંજ્ઞાન લે અને આ પ્રકારના વહીવટી તંત્રની પાછળ શાસનનો શું ઇરાદો છે તેની તપાસ કરીને યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરે. આ પ્રકારનો આદેશ સામાજિક 
 
ગુનો છે, જે સૌહાર્દના શાંતિપૂર્ણ વાતાવરણમાં ખલેલ પહોંચાડે છે.”
 
પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે ઉત્તર પ્રદેશ પોલીસના આ આદેશની તુલના હિટલરના સમયના 'નાઝી જર્મની' સાથે કરી હતી.
 
જાવેદ અખ્તરે સોશિયલ મીડિયા પર લખ્યું, “ઉત્તર પ્રદેશની મુઝફ્ફરનગર પોલીસે કહ્યું કે એક ખાસ યાત્રા રૂટ પર દુકાનો, હોટલો, અને ગાડીઓના માલિકોના નામ સ્પષ્ટરૂપે લખેલાં હોવાં જોઇએ, કેમ? નાઝી 
 
જર્મનીમાં ખાસ દુકાનો અને મકાનો ઉપર એક નિશાન લગાવવામાં આવતું હતું.”
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

વધુ જુઓ..

નવીનતમ

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ વાળને રીંસ કરો

જો તમને સાંધાનો દુખાવો, થાક અને નબળાઈની સમસ્યા છે તો તમારા શરીરમાં આ વિટામિનની છે કમી

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

આગળનો લેખ
Show comments