Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં લૂંટની 3 ઘટનાઓ, લૂંટારાઓને પકડવા પોલીસ દોડતી થઈ

Webdunia
ગુરુવાર, 18 જુલાઈ 2024 (17:35 IST)
ગુજરાતમાં લૂંટની ઘટનાઓ વધુ પ્રમાણમાં બની રહી છે. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ જગ્યાએ લૂંટની ઘટના બની છે. એક વૃદ્ધને છરી બતાવી 18 લાખની રકમ લૂંટીને લૂંટારા ફરાર થઈ ગયા છે. જ્યારે થાનમાં એક સોનીની દુકાનમાંથી ત્રણેક કિલો સોના-ચાંદીના દાગીના ભરેલી બેગની પણ લૂંટ થઈ છે. તે ઉપરાંત પાટડીના ઝીંઝુવાડામાં કરિયાણાના વેપારી સાથે લૂંટ થઈ હતી. ત્યારે આ તમામ ઘટના મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
 
વૃદ્ધ પાસે રહેલા 18 લાખ 20 હજાર લૂંટી લીધા
સુરેન્દ્રનગરના મેગા મોલ નજીક એક વૃદ્ધ એક્ટિવા લઈને બેંકમાં જઈ રહ્યા હતા. એ દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમે વૃદ્ધને આંતરીને છરી બતાવીને વૃદ્ધ પાસે રહેલા 18 લાખ 20 હજાર લૂંટી લીધા હતા.થાનમાં સોનીની દુકાનમાંથી અંદાજે ત્રણ કિલો સોના-ચાંદીના દાગીના ભરેલી બેગ લઈ લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા.મેઇન બજારમાં સોના-ચાંદીની દુકાનના માલિક સવારે પોતાની દુકાને આવી દાગીના ભરેલો થેલો ટેબલ ઉપર મૂકી દીવાબત્તી કરી રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ સોના-ચાંદીના દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં.
 
વેપારીને છરીના ઘા મારી રોકડા 40 હજાર લૂંટી લીધા
પાટડીના ઝીંઝુવાડા ગામે મોડી રાત્રે કરિયાણાના વેપારી જગદીશભાઈ ભાવસાર પર છરી વડે હુમલો કરી 40 હજાર રોકડા, ચાંદીના સિક્કાઓ અને બે મોબાઈલની લૂંટ ચલાવ્યાની વધુ એક ચોંકાવનારી ઘટના બની હતી. ઝીંઝુવાડા ગામના જગદીશભાઈ ભાવસાર ગત રાત્રીના દુકાન બંધ કરીને ઘર તરફ જઈ રહ્યાં હતા, ત્યારે બાઈક પર આવેલા 25-30 વર્ષના બે યુવકોએ જગદીશભાઈ ભાવસાર પર છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી એમની પાસેથી રૂ. 40,000 રોકડા, ચાંદીના સિક્કાઓ અને બે મોબાઈલની લૂંટ કરીને રાત્રીના અંધારામાં પલાયન થઇ જવામાં સફળ થયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યાના નિકાલ માટે સરકારની પહેલ, ફોન કરીને લોકો માહિતી આપી શકશે

મણિપુરમાં ફરી સ્થિતિ બગડી! સરકારે સવારે ઘણા જિલ્લાઓમાં કર્ફ્યુ લગાવ્યો, હવે 5 દિવસ માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ

અમદાવાદ- મુંબઈ બુલેટ ટ્રેનમાં મુસાફરોને નહીં સંભળાય ઘોંઘાટ, 1.75 લાખ નોઈઝ બેરિયર્સ લગાવાયા

રાજકોટના જે કે ચોકમાં ગણપતિ બાપ્પાને 60 લાખનો સોનાનો હાર અને ડાયમંડનો શણગાર કરાયો

આગળનો લેખ
Show comments