Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરા ખાતેના રિલાયન્સ પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં 3 નાં મોત

Webdunia
ગુરુવાર, 29 નવેમ્બર 2018 (12:00 IST)
વડોદરા શહેર નજીક આવેલી રિલાયન્સ કંપનીના ધનોરા ગામ પાસેના પ્લાન્ટમાં આજે વહેલી સવારે વિસ્ફોટ થતા ત્રણ કામદારોના મોત થયા હતા. જ્યારે અન્ય ઘાયલ કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 
રિલાયન્સ કંપનીના ધનોરા પ્લાન્ટ તરીકે ઓળખાતા ધનોરા ગામ નજીકના યુનિટમાં આજે વહેલી સવારે નાઈટ શિફ્ટના કર્મચારીઓ કામ કરતા હતા. તે સમયે અચાનક બ્લાસ્ટ થતા નાસભાગ મચી હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ત્રણ કર્મચારીઓના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે અન્ય ઘાયલ કર્મચારીઓને નજીકની ખાનગી હોસ્પિટલ અને શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘાયલ કર્મચારીઓની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યુ છે જ્યારે મૃત્યુઆંક પણ વધે તેવી સંભાવના છે. બ્લાસ્ટમાં મારનાર કર્મચારીઓની પ્રાથમિક માહિતી પ્રમાણે તેઓના નામ મહેન્દ્ર જાદવ, અરુણભાઈ તેમજ પ્રિતેશ પટેલ હોવાનું સ્થાનિક કામદારો દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે રિલાયન્સ કંપની દ્વારા કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

આગળનો લેખ
Show comments