Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેરીટેજ વારસાને લોકો સુધી પહોંચાડવા કાર્યશીલ ‘ધ દૂરબીન’ દ્વારા કવિ સંમેલન યોજાયું

Webdunia
સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (15:32 IST)
અમદાવાદ ખાતેની ધ દૂરબીન સંસ્થા દ્વારા ગત શનિવાર તા. 21 સપ્ટેમબરના રોજ ગુજરાતના વર્લ્ડ હેરિટેજ સીટી એવા અમદાવાદ ખાતે એક કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનનું આયોજન ગુજરાતના પોતીકા આદિ કવિ શ્રી દલપતરામ ચોક ( હેરિટેજ સાઈટ) ખાતે યોજવામાં આવેલ હતું.આ કવિ સંમેલનમાં અમદાવાદના ઉભરતા કવિઓથી માંડીને ગુજરાતના ઉત્કૃષ્ઠ કવિઓએ અમદાવાદીઓને કવિતાઓનું રસપાન કરાવ્યું હતું. આ કવિ સંમેલનમાં જાણીતા કવિયિત્રી ઉષાબેન ઉપાધ્યાય, ગોપાલીબેન બુચ, પારૂલબેન બારોટ, ભાર્ગવીબેન પંડ્યાની સાથે-સાથે ચિરાગભાઈ ઝાઝી, ગીરીશભાઈ પરમાર, યોગેન્દુભાઇ જોશી, તાહા મન્સૂરી અને અધીર અમદાવાદી (ડો, દેવાંશુ પંડિત) ઉપસ્થિત રહ્યા હતા તો ડો. માસુંગ દેસાઈની વિશેષ ઉપસ્થિતમાં અમદાવાદના પોળ વિસ્તારમાં કવિ સંમેલનનું આયોજન થયું હતું. ધ દૂરબીન એ અમદાવાદ અને સુરતમાં વસતા આજની પેઢીના યુવાનોએ શરુ કરેલી ગુજરાતના વારસા અને માતૃભાષાનાને જન-જન સુધી પહોંચાડવાની એક ઝુંબેશ છે. ધ દૂરબીન સંસ્થા થકી તેઓ, જે રીતે દૂરબીન દૂરનું નજીક બતાવે છે તેમ યુનેસ્કો દ્વારા જાહેર થયેલ વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદ તથા ગુજરાતના ગૌરવવંતા વારસાને આજની યુવા પેઢી તથા આવનાર પેઢી સુધી પહોંચાડવા માંગે છે અને આ માટે તેઓ સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ છે. તેઓ દર રવિવારે અમદાવાદની પોળમાં હેરિટેક વોકના આયોજનથી માંડીને અમદાવાદના ફેમસ ફૂડને પણ લોકો સુધી પહોંચાડવા, તેની પાછળ રહેલી ક્યારેય ન કહેવાયેલી વાતોને લોકો સુધી પહોંચાડવા ફૂડ વોકનું પણ આયોજન કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments