Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં ગરબાના કાર્યક્રમ બાદ એક જ પરિવારના 175 લોકોને આંખમાં ઈન્ફેક્શન થયું

Webdunia
મંગળવાર, 12 નવેમ્બર 2019 (12:42 IST)
રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં એક પરિવારમાં દીકરાની સગાઇ પૂર્વે દાંડીયારાસનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં આવેલા તમામ મહેમાનોને આંખમાં ઈન્ફેક્શન લાગ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ લોકોની સારવાર કરવામાં આવી હતી. દીકરાની દાંડીયારાસમાં આવેલી છોકરાની વાગ્દત્તાને પણ આંખમાં ઇન્ફેક્શન થયું છે. મળતી માહિતી પ્રમાણે આ પરિવારના સભ્યો તેમજ મહેમાનોને આંખમાં ઇન્ફેક્શન બાદ તમામ લોકોને શહેરની સિવિલ હોસ્પિટલમાં ખાતે આવેલી આંખની હોસ્પિટલમાં વહેલી સવારે સારવાર કરાવવાની ફરજ પડી હતી. પરિવારના તમામ સભ્યોની આંખમાં બળતરા તેમજ લાલાશ જોવા મળી હતી. મીડિયા સાથેની વાતચીતમાં આંખની હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, પરિવારના 175 લોકોને વહેલી સવારના પાંચ વાગ્યાથી લઈને સવારના નવ વાગ્યા સુધીમાં સારવાર આપવામાં આવી છે. દર્દીઓની આંખ પાણીથી સાફ કરાવીને આંખનાં ટીપાં નાખવામાં આવ્યા હતા.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હિઝબુલ્લાહના સભ્યો સાથે જોડાયેલા પેજર વિસ્ફોટમાં ઈરાનના રાજદૂત સહિત 8ના મોત, 2,750 ઘાયલ

J&K Assembly Elections Phase 1 Live: જમ્મુ કાશ્મીરની 24 સીટો પર શરૂ થયું વોટિંગ, મતદાતાઓની લાગી લાઈન

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

આગળનો લેખ
Show comments